અમદાવાદ પ્લેન ક્રેશની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં ‘બ્લેક બોક્સના ડેટા’ પર શું બોલ્યા નાગરિક ઉડ્ડયન મંત્રી, જુઓ વીડિયો
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171, 12 જૂનના રોજ બપોરે ક્રેશ થઈ ગઈ હતી. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. 12 જૂને અમદાવાદમા થયેલા પ્લેન ક્રેશમાં મૃત્યુઆંક વધીને 270 થઈ ગયો છે. હવે આ ઘટના બાદ પહેલી વાર નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સ શરૂ કરતા ઉડ્ડયન મંત્રાલયના સચિવ સમર કુમાર સિંહાએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની આ ફ્લાઇટ 12 જૂનના રોજ બપોરે 1:39 વાગ્યે અમદાવાદથી ઉડાણ ભરી હતી અને થોડી જ સેકન્ડોમાં, 650 ફૂટની ઊંચાઈ પર પહોંચવા પર, વિમાન સિંક કરવા લાગ્યું એટલે કે ઊંચાઈ ગુમાવવાનું લાગ્યું. આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો, 2 પાઇલટ અને 10 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. 1:39 વાગ્યે, પાયલોટે અમદાવાદના ATCને MAYDAY એટલે કે સંપૂર્ણ કટોકટીની જાણ કરી હતી. જ્યારે ATCએ વિમાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોઈ જવાબ ન મળ્યો. તેના બરાબર એક મિનિટ બાદ, વિમાન મેઘાણીનગર ખાતે ક્રેશ થઇ ગયું, જે આપણા એરપોર્ટથી બે કિલોમીટર દૂર છે.
તેમણે કહ્યું કે વિમાને આ અકસ્માત અગાઉ પેરિસથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ સુધીની સફર કોઈપણ ઘટના વિના પૂર્ણ કરી હતી. અકસ્માતને કારણે, રનવેને બપોરે 2:30 વાગ્યે બંધ કરવામાં આવ્યો હતો અને તમામ પ્રોટોકોલ પૂર્ણ કર્યા બાદ, સાંજે 5:00 વાગ્યે સીમિત ઉડાણો માટે રનવે ખોલવામાં આવ્યો હતો. બપોરે 3:00-3.30 વાગ્યાની આસપઆસ, અમારા નાગરિક ઉડ્ડયન મંત્રાલયની આખી ટીમ અને મંત્રી કંટ્રોલ રૂમમાં પહોંચ્યા અને સાંજે 6:00 વાગ્યાની આસપાસ આખી ટીમ ઘટનાસ્થળે હાજર હતી.
રામમોહન નાયડુએ કહ્યું કે, છેલ્લા 2 દિવસ બધા માટે ખૂબ જ ખરાબ રહ્યા છે. હું જાતે ઘટનાસ્થળે પહોંચ્યો અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ઘટનાસ્થળે પહોંચતા જ અમે એ ભયાનક દૃશ્ય પોતાની આંખોથી જોયું. મુસાફરોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. અમે આ બાબતની તપાસ માટે ગૃહ સચિવના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. અમે દરેક પાસાંથી અકસ્માતના કારણોની તપાસ કરી રહ્યા છીએ. અમે ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા માટે કામ કરી રહ્યા છીએ.
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે, છેલ્લા 2 દિવસ ખૂબ જ મુશ્કેલ રહ્યા છે, ખાસ કરીને નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને દરેક માટે. અમદાવાદ એરપોર્ટ પર બનેલી ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. આ ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદના છે. મેં મારા પિતાને માર્ગ અકસ્માતમાં ગુમાવ્યા છે, એટલે હું જે લોકો આ સમયે લોકો જે પીડા અનુભવી રહ્યા છે, તેને સમજી શકું છું. આ ઘટના આપણા બધા માટે ખૂબ જ આઘાતજનક હતી. મેં વ્યક્તિગત રીતે ઘટનાસ્થળે જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
#WATCH | Delhi: #AhmedabadPlaneCrash | Union Civil Aviation Minister Ram Mohan Naidu Kinjarapu says "The last two days have been, very difficult. The accident that happened near Ahmedabad airport shook the entire nation. My deepest condolences to all the families who have lost… pic.twitter.com/hiSTI4L4gX — ANI (@ANI) June 14, 2025
#WATCH | Delhi: #AhmedabadPlaneCrash | Union Civil Aviation Minister Ram Mohan Naidu Kinjarapu says "The last two days have been, very difficult. The accident that happened near Ahmedabad airport shook the entire nation. My deepest condolences to all the families who have lost… pic.twitter.com/hiSTI4L4gX
તેમણે કહ્યું કે પાઇલટે કટોકટીની જાણ કરી હતી. ગઈકાલે સાંજે 5:00 વાગ્યે બ્લેક બોક્સ મળી આવ્યું હતું. બ્લેક બોક્સની તપાસ કર્યા બાદ જ અકસ્માતનું કારણ જાણી શકાશે. બ્લેક બોક્સને ડીકોડ કરવામાં આવી રહ્યું છે. તપાસ ટીમ 3 મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. DGCA અને IB અધિકારીઓ પણ તપાસમાં રોકાયેલા છે. અમે ઘટનાસ્થળ સીલ કરી દીધું છે અને બ્લેક બોક્સ મળી આવ્યું છે. બ્લેક બોક્સની તપાસમાંથી ઘણી માહિતી સામે આવશે. અમે AAIBની તપાસના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp