ફ્રીમાં આધાર અપડેટ કરાવવાની તારીખ પાછી વધી, હવે આ તારીખ હશે અંતિમ, UIDAIએ કરી જાહેરાત
આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. જો તમે ફ્રીમાં આધાર કાર્ડમાં કેટલાક ફેરફારો કરવા માગતા હોવ, તો હવે તમારી પાસે 1 વર્ષનો સમય છે. ત્યારબાદ તમારે પૈસા ચૂકવવા પડી શકે છે. આ માહિતી આધાર કાર્ડ જાહેર કરતી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા શેર કરવામાં આવી છે.
UIDAIએ કહ્યું છે કે લાખો આધાર ધારકો માટે આ સુવિધા લંબાવવામાં આવી રહી છે. હવે આધાર ધારકો 14 જૂન, 2026 સુધી દસ્તાવેજો દ્વારા ફ્રીમાં આધાર અપડેટ કરાવી શકે છે. અગાઉ આ તારીખ 14 જૂન, 2025 હતી એટલે કે આજ સુધી. આધાર કાર્ડમાં દસ્તાવેજો અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.
હવે લોકો પાસે ફ્રીમાં આધાર અપડેટ કરાવવાનો એક જ રસ્તો બાકી છે. UIDAIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેની સાથે જોડાયેલી સંબંધિત માહિતી શેર કરી છે. કહેવામાં આવ્યું છે કે ફ્રી આધાર અપડેટની સુવિધા માત્ર myAadhaar પોર્ટલ પર ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે ઓનલાઈન પોર્ટલ દ્વારા ડેમોગ્રાફિક ઇન્ફોર્મેશનને અપડેટ કરાવી શકશે. વસ્તી વિષયક માહિતી ઓનલાઈન પોર્ટલ દ્વારા અપડેટ કરી શકાય છે.
આધાર કાર્ડ અપડેટ કરવા માટે, સરનામાના પુરાવા અને ઓળખના પુરાવા સંબંધિત દસ્તાવેજો અપલોડ કરવા પડશે. આમ UIDAIએ સ્પષ્ટતા કરી છે કે આધારમાં અપડેટ આગામી એક વર્ષ માટે ઓનલાઈન ફ્રી રહેશે, પરંતુ ઓનલાઈન અપડેટમાં મર્યાદિત સુવિધાઓ જ ઉપલબ્ધ રહેશે. જો કોઈ આધાર ધારક પોતાનું બાયોમેટ્રિક અપડેટ કરાવવા માગે છે, તો તેણે નજીકના આધાર સેવા કેન્દ્રમાં જવું પડશે અને ફી ચૂકવ્યા બાદ આ કાર્ય કરાવી શકાય છે.
#UIDAI extends free online document upload facility till 14th June 2026; to benefit millions of Aadhaar Number Holders. This free service is available only on #myAadhaar portal. UIDAI has been encouraging people to keep documents updated in their #Aadhaar. pic.twitter.com/XkwZ3owUtw — Aadhaar (@UIDAI) June 14, 2025
#UIDAI extends free online document upload facility till 14th June 2026; to benefit millions of Aadhaar Number Holders. This free service is available only on #myAadhaar portal. UIDAI has been encouraging people to keep documents updated in their #Aadhaar. pic.twitter.com/XkwZ3owUtw
બાયોમેટ્રિક અપડેટ ઓનલાઈન કરી શકાતું નથી. છતાં, જો તમારા મનમાં કોઈ સવાલ હોય, તો તમે ટોલ ફ્રી નંબર 1947 પર કૉલ કરી શકો છો અને જવાબ જાણી શકો છો. આ ઉપરાંત, તમે help@uidai.gov.in પર ઈમેલ લખીને પણ માહિતી મેળવી શકો છો.
થોડા દિવસો અગાઉ, સરકારે કહ્યું હતું કે જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે, તો તમે તેને અપડેટ કરી શકો છો, ત્યારબાદ સરકારે આધાર અપડેટ કરવા માટે ફ્રી સેવા શરૂ કરી. નિયમ મુજબ, વ્યક્તિઓએ દર 10 વર્ષે પોતાનો આધાર અપડેટ કરવો જોઈએ. બાળ આધાર એટલે કે 5 વર્ષથી 15 વર્ષની વયના બાળકોનો આધાર અપડેટ કરાવવામાં આવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp