બ્લેક બોક્સમાં એવું તો શું છે, જે 1000 ડિગ્રી તાપમાનમા પણ નથી થતું ખરાબ?
અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાથી દરેક વ્યક્તિ આઘાતમાં છે. આ દુ:ખદ ઘટના બાદ, દરેક વ્યક્તિ જાણવા માગે છે કે આ વિમાન દુર્ઘટના કેવી રીતે અને શા માટે થઈ? અને વિમાનમાં બેઠેલા 241 મુસાફરો આગમાં રાખ કેવી રીતે થઈ ગયા? સરકારે આ સવાલના જવાબ માટે તપાસ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં, તપાસ એજન્સીઓને એર ઈન્ડિયાના બોઇંગ 787-0 ડ્રીમલાઇન વિમાનમાં લાગેલું બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે, ત્યારબાદ તપાસમાં તેજી આવવાની અપેક્ષા છે.
તપાસ એજન્સીઓને એર ઈન્ડિયાના વિમાનમાં લાગેલું બ્લેક બોક્સ ક્રેશ સ્થળ પર સ્થિત બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની છત પરથી મળ્યું છે. એવામાં લોકોના મનમાં એક સવાલ છે કે આટલા મોટા અકસ્માત અને આટલા ભીષણ તાપમાનમાં પણ બ્લેક બોક્સ કેવી રીતે સુરક્ષિત રહે છે અને તેને કેવી રીતે બનાવવામાં આવે છે? ચાલો જાણીએ.
જ્યારે એર ઈન્ડિયાનું વિમાન અકસ્માતનો ભોગ બન્યું અને આગ લાગી ત્યારે તાપમાન 1000 ડિગ્રી સેલ્સિયસથી વધુ પહોંચી ગયું હતું. આ તાપમાન લોખંડને પણ પિગાળી શકે છે, એવામાં વિમાનમાં સવાર મુસાફરો સાથે શું થયું હશે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. વાસ્તવમાં, જ્યારે વિમાનમાં આગ લાગી ત્યારે તે 1.25 લાખ લીટર ઇંધણથી ભરેલું હતું, જેના કારણે આગ લાગ્યા બાદ મોટો વિસ્ફોટ થયો. વિચારવા જેવી વાત એ છે કે તાપમાને આટલે ઊંચે પહોંચ્યા બાદ પણ બ્લેક બોક્સ કેવી રીતે સુરક્ષિત રહ્યું?
કોઈપણ વિમાન અકસ્માતની તપાસ કરવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ બ્લેક બોક્સ છે, આજ કારણ છે કે જ વિમાન દુર્ઘટના સ્થળે પહોંચેલી તપાસ એજન્સીઓ પહેલા તેને શોધે છે. તે નારંગી રંગનું ડિવાઇસ હોય છે, જે એક પ્રકારનું રેકોર્ડર હોય છે. આ ડિવાઇસમાં વિમાનની દરેક ગતિવિધિ રેકોર્ડ થઈ રહી હોય છે. બ્લેક બોક્સને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે અકસ્માતમાં પૂરી રીતે સુરક્ષિત રહે છે. તે સ્ટેનલેસ સ્ટીલ અથવા ટાઇટેનિયમથી બનાવવામાં આવે છે, જેના કારણે તેના પર ન તો પાણીના દબાણની અસર થાય છે અને ન તો આગની. આ ઉપરાંત, બ્લેક બોક્સ સૌથી મોટા વિસ્ફોટને પણ સહન કરી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp