એર ઇન્ડિયાના બધા બોઈંગ ડ્રીમલાઇનર વિમાનોને લઈને DGCAનો મોટો નિર્ણય

એર ઇન્ડિયાના બધા બોઈંગ ડ્રીમલાઇનર વિમાનોને લઈને DGCAનો મોટો નિર્ણય

06/13/2025 National

SidhiKhabar

SidhiKhabar

એર ઇન્ડિયાના બધા બોઈંગ ડ્રીમલાઇનર વિમાનોને લઈને DGCAનો મોટો નિર્ણય

ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ તમામ બોઇંગ ડ્રીમલાઇનર વિમાનોના કાફલા પર સુરક્ષા તપાસ કડક બનાવી દીધી છે. અમદાવાદમાં એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. DGCAએ એર ઇન્ડિયાને, 15 જૂન 2025ના મધ્યરાત્રિ (00:00 વાગ્યા)થી ભારતથી ઉડાણ ભરવા અગાઉ એક વખત વિશેષ તપાસ પ્રક્રિયા અનિવાર્ય રૂપે લાગુ કરવાનો આદેશ આપ્યો છે.


ટેકઓફ અગાઉ પેરમીટર્સની સંપૂર્ણ સમીક્ષાના નિર્દેશ પણ અપાયા

ટેકઓફ અગાઉ પેરમીટર્સની સંપૂર્ણ સમીક્ષાના નિર્દેશ પણ અપાયા

DGCAએ ઉડાણ અગાઉ ઘણી મહત્ત્વની ટેક્નિકલ તપાસના નિર્દેશ આપ્યા છે, જેમાં ફ્યૂલ પેરામીટર મોનિટરિંગ, કેબિન એર કોમ્પ્રેસર સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ ટેસ્ટ, એન્જિન ફ્યૂલ એક્ટ્યૂએટર ઓપરેશન, ઓઇલ સિસ્ટમ અને હાઇડ્રોલિક સિસ્ટમની સેવા સામેલ છે. આ સાથે, ટેકઓફ અગાઉ પેરમીટર્સની સંપૂર્ણ સમીક્ષાના નિર્દેશ પણ અપાયા છે.

આ ઉપરાંત, DGCAએ આદેશ આપ્યો છે કે 'ફ્લાઇટ કંટ્રોલ ઇન્સ્પેક્શન'ને ટ્રંઝિટ નિરીક્ષણમાં જોડવામાં આવે અને આ પ્રક્રિયા આગામી આદેશો સુધી ચાલુ રાખવામાં આવે. આ સાથે જ, 2 અઠવાડિયાની અંદર પાવર એશ્યોરન્સ ચેક્સ કરાવવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે, છેલ્લા 15 દિવસમાં બોઇંગ ડ્રીમલાઇનર વિમાનોમાં વારંવાર આવતી ટેક્નિકલ ખામીઓ (સ્નેગ્સ)ની સમીક્ષા કરવા અને તેમની સાથે જોડાયેલા તમામ મેન્ટેનેન્સ કાર્યને વહેલી તકે નિકાલ કરવાના આદેશો પણ આપવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, DGCAનું આ પગલું એર ઇન્ડિયાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય અને મુસાફરોના જાન-માલની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.


ગુરુવારે અમદાવાદમાં વિમાન ક્રેશની ઘટના બની

ગુરુવારે અમદાવાદમાં વિમાન ક્રેશની ઘટના બની

ગુરુવારે બપોરે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના, બોઇંગ કંપનીના 787 ડ્રીમલાઇનર વિમાન સાથે સંબંધિત સૌથી ભયાનક અકસ્માતોમાંથી એક છે. આ અમેરિકન વિમાન ઉત્પાદક બોઇંગનું સૌથી આધુનિક વાઇડબોડી એરલાઇનર છે. એર ઇન્ડિયાનું આ વિમાન માત્ર 12 વર્ષ જૂનું હતું અને અકસ્માતના થોડા કલાકો અગાઉ જ દિલ્હીથી મુસાફરો સાથે અમદાવાદ પહોંચ્યું હતું. તેમાં 242 લોકો સવાર હતા.

અમદાવાદ એરપોર્ટના રનવે નંબર 23 પરથી ઉડાણ ભર્યાના થોડા સમય બાદ, તે ઝડપથી નીચે પડવા લાગ્યું અને એક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયા બાદ એક વિશાળ આગના ગોળામાં બદલાઈ ગયો. આ અકસ્માતમાં 265 લોકોના મોત થયા હતા. જેમાં તે ઇમારતમાં હાજર લોકોનો પણ સમાવેશ થાય છે જેની સાથે વિમાન અથડાયું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top