બધુ સળગી ગયું, પરંતુ ભગવદ્ ગીતાને આંચ શુદ્ધા ન આવી, અમદાવાદ પ્લેન ક્રેશ બાદનો આ વીડિયો વાયરલ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બધું બળીને રાખ થઈ ગયું. થોડીક જ સેકન્ડોમાં એટલી ભીષણ આગ લાગી કે ઘટનાસ્થળની આસપાસ રહેલા પક્ષીઓ અને પ્રાણીઓ બળીને રાખ થઈ ગયા. વિમાન દુર્ઘટના બાદ એટલી ભીષણ આગ લાગી કે થોડી જ મિનિટોમાં લોખંડ પણ પીગળી ગયું. પરંતુ આટલા ભયંકર અકસ્માત અને આગ બાદ પણ, ઘટનાસ્થળેથી ભગવદ્ ગીતા સુરક્ષિત મળી આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વિમાન દુર્ઘટના બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલ એક યુવક હાથમાં ભગવદ્ ગીતા લઈને ઉભો છે.
આ વીડિયોમાં યુવકે જણાવ્યું છે કે આટલી ભીષણ આગ બાદ પણ આ પુસ્તક સુરક્ષિત રહ્યું. ભગવદ્ ગીતાના કવરનો કેટલોક ભાગ બળી ગયો છે, એક કે બે શરૂઆતના પાનાં પર બળવાના નિશાન છે. પરંતુ અંદરના બધા પાનાં અને પુસ્તકમાં રહેલા ભગવાન કૃષ્ણ સહિત અન્ય દેવી-દેવતાઓની તસવીરોને કંઈ થયું નથી.
માનવામાં આવી રહ્યું છે કે આ પુસ્તક કોઈ મુસાફરના સામાનમાં સામેલ હશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો તેને ભગવાનનો ચમત્કાર કહી રહ્યા છે જ્યારે કેટલાક લોકો તેને અંધશ્રદ્ધા ફેલાવવાની વાત કહી રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે આ પુસ્તક કોઈ મુસાફરના સામાનમાં હોવું જોઈએ, જે સુરક્ષિત રીતે બચી ગયો.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક પોસ્ટમાં, આ પુસ્તક બતાવતા એક યુવાન કહે છે કે અમે માની શકીએ છીએ કે આ ભગવાનનો સંદેશ છે કે તમે ભગવાનની વાણી તરફ પાછા ફરો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp