BLAએ પાકિસ્તાનને આપી ધમકી- 'બહુ ઉડી લીધું, હવે એક ગોળીના બદલામાં..'
Pakistan Train Hijack: ટ્રેન હાઇજેકની ઘટનાને કારણે પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. બલુચિસ્તાનમાં ટ્રેનનું અપહરણ થયાને 20 કલાકથી વધુ સમય થઈ ગયો છે. પાકિસ્તાનમાં શાહબાઝ સરકાર હાઇજેક થયેલી ટ્રેનના કારણે ચિંતિત છે. બલૂચ લિબરેશન આર્મી (BLA)એ જાફર એક્સપ્રેસ ટ્રેનને કબજામાં લઈ લીધી છે. અત્યાર સુધી બલૂચોની માગણીઓ પૂર્ણ થઈ નથી. BLA એ શાહબાઝ સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. બલૂચ બળવાખોરોએ એક નવું નિવેદન બહાર પાડીને પાકિસ્તાન સરકાર અને સેનાને ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટપણે ધમકી આપી છે કે, જો તેમની માગણીઓને ગંભીરતાથી લેવામાં નહીં આવે, તો એક ગોળી માટે 10 બંધકો મરશે.
ખરેખર, બલૂચ બળવાખોરોએ આજે એક નિવેદન બહાર પાડ્યું છે. બલૂચ બળવાખોરોએ કહ્યું કે, પાકિસ્તાન સેનાએ ફરી એકવાર સ્વતંત્રતા સેનાનીઓ પર બેજવાબદારભર્યો હુમલો કર્યો છે. તેણે ડ્રોન હુમલા કર્યા અને 2 ગોળા નાખ્યા. આ હુમલામાં કોઈ બળવાખોર માર્યો ગયો નથી. બધા લડવૈયાઓ સુરક્ષિત છે. આ હુમલો એ વાતનો પુરાવો છે કે પાકિસ્તાન કેદીઓની આપ-લે અંગે કોઈ ગંભીર નિર્ણય લેવામાં અસમર્થ છે.
બળવાખોરોએ ચેતવણી આપી કે, જો પાકિસ્તાની સેના તેમની ચેતવણીને અવગણશે, તો બોમ્બમારાનો બદલો લેવા માટે 10 વધુ બંધકોને મારી નાખવામાં આવશે. જો પાકિસ્તાની સેના વધુ એક ગોળી ચલાવે તો 10 બંધક લશ્કરી કર્મચારીઓ માર્યા જશે. બળવાખોરોએ કહ્યું કે જાફર ટ્રેન પર અમારું નિયંત્રણ મજબૂત છે. 12 કલાકથી વધુ સમય વીતી ગયો. આ હકીકત સ્વીકારવાને બદલે, પાકિસ્તાનની વહીવટીતંત્ર અને તેની લશ્કરી સંસ્થા ખોટા પ્રચાર દ્વારા પોતાની લાચારી અને નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. પાકિસ્તાન કહી રહ્યું છે કે તેની પકડ મજબૂત થઈ છે જ્યારે યુદ્ધના મેદાનમાં વાસ્તવિકતા બિલકુલ વિરુદ્ધ છે.
બળવાખોરોએ એવો પણ દાવો કર્યો હતો કે હજુ સુધી કોઈ બળવાખોર માર્યો નથી. કેદીઓની આપ-લેના મામલે પાકિસ્તાની અધિકારીઓ બેદરકારી દાખવી રહ્યા છે. જ્યારે બળવાખોરો આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને નૈતિક સિદ્ધાંતોનું પાલન કરી રહ્યા છે. નિર્ણય હવે દુશ્મનના હાથમાં છે. ક્યાં તો તેમણે ગંભીરતા બતાવવી જોઈએ અથવા તેમના કર્મચારીઓના મૃતદેહ લેવાની તૈયારી કરવી જોઈએ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp