Canadian Intel Report: પહેલી વખત કેનેડાની ગુપ્તચર એજન્સીએ ખાલીસ્તાનીઓને લઈને સ્વીકારી આ વાત
Canadian Intel Report: કેનેડાએ પહેલી વાર સ્વીકાર્યું છે કે ખાલિસ્તાની ઉગ્રવાદીઓ ભારતમાં હિંસા-આતંકવાદ ફેલાવવા માટે કેનેડાની ભૂમિનો ઉપયોગ કરી રહ્યા છે. કેનેડિયન ઇન્ટેલિજન્સ એજન્સી (CSIS)ના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે, ખાલિસ્તાનીઓ ભારતમાં હિંસાને પ્રોત્સાહન આપવા, ભંડોળ એકત્ર કરવા અથવા આયોજન કરવા માટે કેનેડાનો ઉપયોગ કરી રહ્યા છે. CSISએ બુધવારે તેનો વાર્ષિક અહેવાલ જાહેર કર્યો, જેમાં કેનેડાની રાષ્ટ્રીય સુરક્ષા માટે કેટલીક મુખ્ય ચિંતાઓ અને જોખમોની રૂપરેખા આપવામાં આવી હતી. કેનેડિયન ગુપ્તચર એજન્સી CSISના અહેવાલમાં સ્પષ્ટપણે કહેવામા આવ્યું છે કે, 'ખાલિસ્તાની ઉગ્રવાદીઓ મુખ્યત્વે ભારતમાં હિંસાને પ્રોત્સાહન આપવા, ભંડોળ એકત્ર કરવા અથવા આયોજન કરવા માટે કેનેડાનો ઉપયોગ કરી રહ્યા છે.
CSISના રિપોર્ટે પુષ્ટિ કરી છે કે કેનેડા ભારત વિરોધી તત્વો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે, જેનાથી વર્ષોથી ઉઠાવવામાં આવી રહેલી ભારતની ચિંતાઓની પુષ્ટિ થાય છે. અહેવાલમાં જણાવાયું છે કે 1980ના દાયકાના મધ્યથી, કેનેડામાં PMVEનું જોખમ મુખ્યત્વે CBKEના માધ્યમથી પ્રગટ થયો છે. વ્યક્તિઓના એક નાના જૂથને ખાલિસ્તાની ઉગ્રવાદી માનવામાં આવે છે, કારણ કે તેઓ મુખ્યત્વે ભારતમાં હિંસાને પ્રોત્સાહન આપવા, ભંડોળ એકત્ર કરવા અથવા આયોજન કરવા માટે કેનેડાનો ઉપયોગ કરે છે. ખાસ કરીને, કેનેડામાંથી ઉદ્ભવતા વાસ્તવિક અને કથિત ખાલિસ્તાની ઉગ્રવાદ કેનેડામાં ભારતીય વિદેશી હસ્તક્ષેપ ગતિવિધિઓને પ્રોત્સાહન આપે છે.
તો, આ અહેવાલમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે કેનેડાએ પહેલીવાર સત્તાવાર રીતે ખાલિસ્તાની જૂથો માટે 'ઉગ્રવાદ' શબ્દનો ઉપયોગ કર્યો છે. આ એક મોટો ફેરફાર છે, કારણ કે અગાઉ કેનેડિયન સરકાર અને એજન્સીઓ આ મુદ્દાને હળવાશથી લેતી હતી અથવા તેને 'સમુદાયિક ગતિવિધિઓ'નો એક ભાગ માનતી હતી. પરંતુ હવે CSISની આ સ્પષ્ટ કબૂલાતથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ખાલિસ્તાની આતંકવાદીઓ ન માત્ર ભારત માટે જોખમી છે, પરંતુ કેનેડાની પોતાની સુરક્ષા માટે પણ ચિંતાનો વિષય બની શકે છે.
વર્ષ 2023માં કેનેડાના તત્કાલિન વડાપ્રધાને દાવો કર્યો હતો કે તેમની સરકાર પાસે ખલીસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજજરની હત્યામાં ભારતની સંડોવણીના પુરાવા છે. ભારતે આરોપોનું ખંડન કરતાં તેમને વાહિયાત અને પ્રેરિત ગણાવ્યા હતા અને કેનેડા પર ઉગ્રવાદી અને ભારત વિરોધી તત્વોને સ્થાન આપવાનો આરોપ લગાવ્યો છે.
ત્યારબાદ ભારતે કેનેડામાંથી 6 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા, કારણ કે નિજ્જરની હત્યાની તપાસ કરી રહેલા કેનેડિયન અધિકારીઓએ તેમને તેમના હિત ગણાવ્યા હતા. 18 જૂન, 2023ના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં એક ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
તે જ સમયે, કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીને G-7 સમિટમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો હતો, જેમાં કેટલાક શીખ સમર્થકો અને તેમના પોતાના સાંસદોએ અસહમતિ વ્યક્ત કરી હતી. જો કે, કારણીએ વૈશ્વિક બાબતોમાં ભારતના મહત્ત્વનો સંદર્ભ આપતા પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો. કાર્નીએ વિશ્વનાચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે ભારતની સ્થિતિ પર ભાર મૂક્યો, જે તેને વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં તેને એક મહત્ત્વપૂર્ણ ખેલાડી બનાવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp