એર ઈન્ડિયાના વિમાનમાં પાછી આવી ગઈ ખામી, આ દેશમાંથી દિલ્હી આવતી ફ્લાઇટે પાછું ફરવું પડ્યું

એર ઈન્ડિયાના વિમાનમાં પાછી આવી ગઈ ખામી, આ દેશમાંથી દિલ્હી આવતી ફ્લાઇટે પાછું ફરવું પડ્યું

06/16/2025 World

SidhiKhabar

SidhiKhabar

એર ઈન્ડિયાના વિમાનમાં પાછી આવી ગઈ ખામી,  આ દેશમાંથી દિલ્હી આવતી ફ્લાઇટે પાછું ફરવું પડ્યું

ફરી એકવાર ટાટા ગ્રુપની એરલાઇન એર ઇન્ડિયાના એક વિમાનમાં ખામી આવી ગઈ હતી. હોંગકોંગથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ દરમિયાન, પાઇલટને એન્જિનમાં સમસ્યાનો અનુભવ થયો અને એરપોર્ટનો સંપર્ક કર્યા બાદ, ફ્લાઇટ હોંગકોંગ પાછી ફરી. વિમાનમાં ટેક્નિકલ સમસ્યા સર્જાતા એર ઇન્ડિયાની ફ્લાઇટ AI315ને અધવચ્ચેથી જ પાછી મોકલી દેવામાં આવી. જે ​​વિમાનમાં સમસ્યા ઉભી થઈ તે બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતું. તાજેતરમાં અમદાવાદમાં ક્રેશ થયેલું વિમાન પણ બોઇંગ 787-8 હતું. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાના વિમાનોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હવે બીજા વિમાનમાં પણ સમસ્યા જોવા મળી છે. જોકે, આ ઘટનામાં કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.

એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર એક વાઈડ-બોડી પ્લેન છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે લાંબા અંતરની દૂરીવાળી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે કરવામાં આવે છે. આ વિમાનમાં 2-ક્લાસ કોન્ફિગરેશન છે, બિઝનેસ ક્લાસમાં 18 બેઠકો અને ઇકોનોમી ક્લાસમાં 238 બેઠકો છે. જો કે, જો જરૂરિયાતના હિસાબે એરલાઇન તેમાં બદલાવ કરી શકે.


બોઇંગના 787-8 ડ્રીમલાઇનરની વિશેષતા શું છે?

બોઇંગના 787-8 ડ્રીમલાઇનરની વિશેષતા શું છે?

787-8 ડ્રીમલાઇનરનું મૂળ મોડેલ છે. તે ઓછા ઇંધણનો ઉપયોગ કરે છે અને લાંબા અંતરની મુસાફરી માટે બનાવવામાં આવ્યું છે. મુસાફરોની સહૂલિયતથી લઈને ઇંધણના વપરાશ સુધી અને વિમાનની ટાંકીને પણ લાંબા અંતર માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ વિમાનમાં 2 એન્જિન છે. વજન ઓછું રાખવા માટે, આ વિમાનનો 50 ટકા ભાગ ઘણી મિશ્રિત વસ્તુંથી બનાવવામાં આવ્યો છે. આ પહેલું વિમાન છે, જેને બનાવવામાં મિશ્રિત સામગ્રીનો ઉપયોગ થયો છે. આ વિમાન એક સમયે 8500 નોટિકલ માઇલ સુધીનું અંતર કાપી શકે છે.


અમદાવાદમાં શું થયું?

અમદાવાદમાં શું થયું?

12 જૂનના રોજ, એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટથી નીકળ્યું અને ટેકઓફ કર્યા બાદ થોડી જ સેકન્ડમાં ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં 242 લોકો સવાર હતા. વિમાન લંડન જઈ રહ્યું હતું. આ વિમાન મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાયું. આ અકસ્માતમાં, વિમાનમાં સવાર એક વ્યક્તિ સિવાય તમામના મોત થઈ ગયા હતા. જે ઇમારત સાથે વિમાન અથડાયું તેમાં હાજર લોકોનું પણ મોત થયું. આ અકસ્માતમાં 297 લોકોના મોત થયા છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ અકસ્માતમાં મોત થઈ ગયું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top