‘બેંગ્લોર ભાગદોડ કેસમાં વિરાટ કોહલી જવાબદાર’, સામાજિક કાર્યકર્તાએ નોંધાવી પોલીસ ફરિયાદ

‘બેંગ્લોર ભાગદોડ કેસમાં વિરાટ કોહલી જવાબદાર’, સામાજિક કાર્યકર્તાએ નોંધાવી પોલીસ ફરિયાદ

06/07/2025 National

SidhiKhabar

SidhiKhabar

‘બેંગ્લોર ભાગદોડ કેસમાં વિરાટ કોહલી જવાબદાર’, સામાજિક કાર્યકર્તાએ નોંધાવી પોલીસ ફરિયાદ

બેંગ્લોરમાં થયેલી ભાગદોડ કેસમાં નવો વળાંક આવ્યો છે. બુધવારે (4 જૂન) બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડને લઈને ક્રિકેટર વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એચ.એમ. વેંક્ટેશ નામના એક સામાજિક કાર્યકર્તાએ પોલીસમાં ફરિયાદ કરી છે. જોકે, કાર્યકર્તાની ફરિયાદ પર હજુ સુધી કોઈ FIR નોંધવામાં આવી નથી.

સમાચાર એજન્સી ANI અનુસાર, સામાજિક કાર્યકર્તા એચએમ વેંક્ટેશે પોતાની ફરિયાદમાં IPLના ઇતિહાસમાં RCBના પહેલી જીતની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ માટે ક્રિકેટર વિરાટ કોહલીને જવાબદાર ઠેરવ્યા છે. કાર્યકર્તા તરફથી કહેવામા આવ્યું છે કે બેંગ્લોરમાં થયેલી ભાગદોડ કેસ માટે વિરાટ કોહલી પણ જવાબદાર છે.


સ્ટેડિયમની બહાર પૂરતી વ્યવસ્થાના અભાવે ભાગદોડ

સ્ટેડિયમની બહાર પૂરતી વ્યવસ્થાના અભાવે ભાગદોડ

બુધવારે (4 જૂન) 18 વર્ષ બાદ IPLમાં પ્રથમ જીત મળ્યા બાદ, RCBની ટીમ બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જીતની ઉજવણી કરવા ગઈ હતી. તો, ટીમની જીતની ઉજવણીમાં સામેલ થવા માટે લાખો ચાહકો સ્ટેડિયમની બહાર એકઠા થયા હતા. જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકોને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નહોતી. જેના કારણે ભાગદોડ મચી ગઈ અને 11 લોકોએ જીવ ગુમાવ્યા.


રાજ્ય સરકારે આ મામલાની તપાસ માટે એક કમિશનની રચના કરી

રાજ્ય સરકારે આ મામલાની તપાસ માટે એક કમિશનની રચના કરી

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના જણાવ્યા અનુસાર, RCBની જીતની ઉજવણી માટે નિર્ધારિત કરવામાં આવેલી ચિન્નાસ્વામી સ્ટેડિયમ, તે આટલી મોટી સંખ્યામાં લોકોને સંભાળવા માટે પૂરતું નહોતું. મુખ્યમંત્રીએ કહ્યું કે ચિન્નાસ્વામી સ્ટેડિયમની ક્ષમતા 35 હજાર લોકોની છે, પરંતુ RCBની જીતની ઉજવણીમાં સામેલ થવા માટે લગભગ 2-3 લાખ લોકોની ભીડ એકઠી થઈ હતી. બેંગ્લોરમાં મચેલી ભાગદોડની તપાસ માટે, રાજ્ય સરકારે નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ જોન માઈકલ ડી'કુન્હાના નેતૃત્વમાં એક સભ્યનું તપાસ પંચ બનાવ્યું છે.


કોર્ટે કેસ સાથે સંબંધિત 4 લોકોને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા

કોર્ટે કેસ સાથે સંબંધિત 4 લોકોને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા

તો, બેંગલુરુ નાસભાગ કેસ સાથે સંબંધિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં DNA એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના માર્કેટિંગ અને રેવન્યૂ હેડ નિખિલ સોસલે, બિઝનેસ અફેર્સના વાઇસ પ્રેસિડેન્ટ સુનિલ મેથ્યૂ, સીનિયર ઇવેન્ટ મેનેજર કિરણ કુમાર અને ટિકિટિંગ ઓપરેશન્સના લીડ સુમંતનો સમાવેશ થાય છે. આ 4 લોકોને 14 ACMM કોર્ટના આદેશ બાદ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top