‘અમે બર્બાદ થઈ જઈશું’, સિંધુ જળ સંધિ પર પુનર્વિચાર કરવા માટે પગે પડી રહ્યું છે પાકિસ્તાન; ભારતને આટલી વખત લખી ચૂક્યું છે ચિઠ્ઠી
આતંકવાદ પર પાકિસ્તાનને ભારે ઝટકો આપવા માટે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણય વિરુદ્ધ પાકિસ્તાન કઈ કરી શકતું નથી. ભારતને વારંવાર પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કર્યા બાદ, પાકિસ્તાને સંધિમાં મધ્યસ્થી કરતી વિશ્વ બેંકનો પણ સંપર્ક કર્યો છે, અને સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્લ્ડ બેન્કે હાલમાં તેમાં હસ્તક્ષેપ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલય દ્વારા અત્યાર સુધીમાં 4 પત્રો મોકલવામાં આવ્યા છે અને આ બધામાં, સંધિને પુનઃસ્થાપિત કરવાની વિનંતી કરવામાં આવી છે. ચોથો પત્ર આ અઠવાડિયે આવ્યો છે. લગભગ બધામાં, પાકિસ્તાન રોન્દણાં રડી રહ્યું છે કે તેનાથી દેશમાં સમસ્યાઓ વધી છે. સૂત્રોનું કહેવું છે કે જળ શક્તિ મંત્રાલયે આ પત્રો વિદેશ મંત્રાલયને મોકલ્યા છે.
22 એપ્રિલે પહેલગામમાં પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદી હુમલા બાદ, સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ, ભારતે પણ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ સામે લશ્કરી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે સ્પષ્ટ કર્યું હતું કે (આતંકવાદને કારણે) લોહી અને પાણી એકસાથે વહી નહીં વહી શકે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સિંધુ જળ સંધિને સ્થગિત કર્યા બાદ, ભારતે બંને દેશો વચ્ચે વહેતી તમામ 6 નદીઓના પાણીનો પોતાની રીતે ઉપયોગ કરવા માટે એક માળખું તૈયાર કરવાનું કામ શરૂ કર્યું છે. આ અંતર્ગત, બિયાસ નદી અને ગંગાને જોડવા માટે 120 કિલોમીટર લાંબી નહેર બનાવવાની યોજના છે.
સિંધુ જળ સંધિ સાથે સંકળાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, સિંધુ નદીને યમુના સાથે જોડવાની પણ યોજના છે. જો આ બંને પ્રોજેક્ટ આગળ વધે તો વધારાના પાણીના સંચાલનની સમસ્યા હલ થઈ જશે. આ પ્રોજેક્ટ દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોની પાણીની સમસ્યા પણ હલ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટનો પ્રારંભિક તબક્કો આગામી 2-3 વર્ષમાં પૂર્ણ થવાની ધારણા છે અને ઘણા મંત્રાલયોના અધિકારીઓની સંયુક્ત ટીમ પ્રોજેક્ટ્સના DPR પર કામ કરી રહી છે.
સિંધુ જળ સંધિ સાથે સંકળાયેલા એક ભૂતપૂર્વ અધિકારીના જણાવ્યા અનુસાર, ભારત પોતાના પ્રોજેક્ટ્સ માટે જે તૈયારીઓ કરી રહ્યું છે તેને જોતા, પાકિસ્તાનમાં રવિ પાક પર ભારે અસર થવાની શક્યતા છે. ત્યારે પાકિસ્તાનને ખરેખર ભારતના નિર્ણયનું દર્દ અનુભવાશે. તેના ખરીફ પાકને પણ અમુક અંશે અસર થઈ છે, પરંતુ વાસ્તવિક અસર રવી સીઝન (ડિસેમ્બર-એપ્રિલ) દરમિયાન જોવા મળશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp