મોહમ્મદ યૂનુસે રાષ્ટ્રના નામે સંબોધન કરતા જણાવ્યું- દેશમાં ક્યારે થશે ચૂંટણી

મોહમ્મદ યૂનુસે રાષ્ટ્રના નામે સંબોધન કરતા જણાવ્યું- દેશમાં ક્યારે થશે ચૂંટણી

06/07/2025 World

SidhiKhabar

SidhiKhabar

મોહમ્મદ યૂનુસે  રાષ્ટ્રના નામે સંબોધન કરતા જણાવ્યું- દેશમાં ક્યારે થશે ચૂંટણી

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસે દેશમાં આગામી રાષ્ટ્રીય ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. તેમણે શુક્રવારે કહ્યું હતું કે દેશની આગામી રાષ્ટ્રીય ચૂંટણી એપ્રિલ 2026ના પહેલા પખવાડિયામાં (1-15 એપ્રિલ વચ્ચે) થશે. ઈદ-ઉલ-અઝહાની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રના નામે પ્રસારિત પોતાના સંબોધનમાં યૂનુસે કહ્યું હતું કે ચૂંટણી પંચ ટૂંક સમયમાં એક વિગતવાર રોડમેપ જાહેર કરશે. વચગાળાની સરકારે 3 મુખ્ય ઉદ્દેશ્યો સાથે કાર્યભાર સંભાળ્યો હતો: સુધારા, ન્યાય અને ચૂંટણી.'


ચૂંટણી પ્રક્રિયા બાંગ્લાદેશને સ્થાયી સરકાર અને રાજકીય સ્થિરતા આપવા માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે

ચૂંટણી પ્રક્રિયા બાંગ્લાદેશને સ્થાયી સરકાર અને રાજકીય સ્થિરતા આપવા માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે

યૂનુસે કહ્યું હતું કે સરકારે બધી રાજકીય પાર્ટીઓ સાથે પરામર્શ કર્યું છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે આગામી ચૂંટણી 'દેશના ઇતિહાસમાં સૌથી સ્વતંત્ર, નિષ્પક્ષ, પ્રતિસ્પર્ધી અને સ્વીકાર્ય' હોય. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ધ્યેય એવી પ્રક્રિયા બનાવવાનો છે જે શહીદોના આત્માઓને સંતુષ્ટ કરે અને રાષ્ટ્ર દ્વારા પોતાની ઈમાનદારી અને નિષ્પક્ષતા માટે યાદ કરવામાં આવે. તેમની આ જાહેરાતથી ચૂંટણીના સમય અંગે મહિનાઓથી ચાલી રહેલી અટકળો અને રાજકીય ખેંચતાણનો અંત આવ્યો છે. મોહમ્મદ યૂનુસે અગાઉ સૂચવ્યું હતું કે સુધારાઓની ગતિના આધારે ડિસેમ્બર 2025 થી જૂન 2026ની વચ્ચે ગમે ત્યારે ચૂંટણીઓ થઈ શકે છે.

ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને તેના સાથી પાર્ટીઓ ડિસેમ્બર 2025 સુધીમાં ચૂંટણીઓ યોજવાનો આગ્રહ રાખી રહી હતી, જ્યારે નવી રચાયેલી નેશનલ સિટીઝન પાર્ટી (NCP) સુધારાઓ પૂર્ણ થયા બાદ જ ચૂંટણીઓની માગ કરી હતી. જોકે, મોહમ્મદ યૂનુસે કહ્યું કે તેમનું ધ્યાન ચૂંટણીઓ પહેલા સુધારાઓને ક્રમબદ્ધ કરવા પર છે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, ‘આગામી મહિનાઓ ન્યાય અને સુધારાના માળખાને અંતિમ સ્વરૂપ આપવા માટે મહત્ત્વપૂર્ણ રહેશે, જેના પર વ્યાપક રાજકીય સર્વસહમતિ બની શકે. તેના માટે બાંગ્લાદેશમાં એક સુધારા પંચની રચના કરવામાં આવી છે. ડૉ. યૂનુસે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયા બાંગ્લાદેશને સ્થાયી સરકાર અને રાજકીય સ્થિરતા આપવા માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે.


2024મા બાંગ્લાદેશની શેખ હસીને સરકારને ઉથવાલી પડાઇ હતી

2024મા બાંગ્લાદેશની શેખ હસીને સરકારને ઉથવાલી પડાઇ હતી

વર્ષ 2024માં, બાંગ્લાદેશ રાજકીય ઉથલપાથલમાં ડૂબી ગયું હતું. શેખ હસીનાની આગેવાની હેઠળની અવામી લીગ સરકારની ક્વોટા સિસ્ટમ સામે દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા, જેના પરિણામે વડાપ્રધાન શેખ હસીનાની સરકાર ઉથલી ગઇ હતી અને 5 ઓગસ્ટ, 2024ના રોજ શેખ હસીનાદેશ છોડીને ભાગવાની ફરજ પડી. તેઓ હાલમાં ભારતમાં નિર્વાસિત છે. 3 દિવસ બાદ, બાંગ્લાદેશમાં નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસના નેતૃત્વમાં એક વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી. ભારતે અગાઉ બાંગ્લાદેશમાં વહેલી તકે સ્વતંત્ર, નિષ્પક્ષ અને સમાવેશી ચૂંટણીઓ કરાવવાની હાકલ કરી હતી, જ્યારે પડોશી દેશ દ્વારા શેખ હસીનાની અવામી લીગ પર પ્રતિબંધ મુકવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top