બિહાર વિધાનસભાની ચૂંટણી અગાઉ જ રાહુલ ગાંધીએ હાર માની લીધી છે કે શું? વિપક્ષ નેતા બોલ્યા- ‘મહારાષ્ટ્રની જેમ હવે..’
06/07/2025
Politics
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત નવેમ્બર 2024માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે ભાજપે મેચ ફિક્સિંગની જેમ ચૂંટણીમાં ધાંધલી કરી. દૈનિક જાગરણમાં પ્રકાશિત લેખ શેર કરતા રાહુલ ગાંધીએ ચૂંટણીઓને પ્રભાવિત કરનારા 5 કારણોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે X પર પોસ્ટ કરતા લખ્યું છે કે, ‘ચૂંટણી કેવી રીતે ચોરવામાં આવે? વર્ષ 2024માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લોકશાહીમાં ધાંધલીકરવાનો બ્લુપ્રિન્ટ હતો.
રાહુલ ગાંધીએ શું લખ્યું?
રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું કે, ચૂંટણીની ચોરીનો પૂરો ખેલ. 2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લોકતંત્રમાં ધાંધલીનું બ્લૂપ્રિન્ટ હતું. પોતાના આર્ટિકલમાં મેં વિસ્તારથી જણાવ્યુ કે કેવી રીતે ષડયંત્ર સ્ટેપ બાય સ્ટેપ રચવામાં આવ્યું.
સ્ટેપ 1- ચૂંટણી પંચની નિમણૂક કરનારી પેનલ પર કબજો
સ્ટેપ 2- મતદાર યાદીમાં નકલી મતદારો ઉમેરવામાં આવ્યા
સ્ટેપ 3- મતદાન ટકાવારી વધારીને બતાવો
સ્ટેપ 4- જ્યાં ભાજપે જીતવાનું હતું, ત્યાં ટારગેટ કરીને નકલી મતદાન કરવવામાં આવ્યું.
સ્ટેપ 5- પુરાવા છુપાવી દેવામાં આવ્યા.
તેમણે કહ્યું કે, આ પ્રકારે પરિણામ જનતાના વિશ્વાસ નષ્ટ કરે છે. બધા ચિંતિત ભારતીયોએ પુરાવા જોવા જોઇએ અને પોતે નિર્ણય લે કેમ કે મહારાષ્ટ્રની મેચ ફિક્સિંગ, આગામી વખત બિહારમાં થશે અને પછી ત્યાં જ્યાં ભાજપ હારી રહી હશે.
મહારાષ્ટ્ર ચૂંટણીઓ પર ઉઠાવ્યા સવાલ
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓ પર ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, એ જોવું મુશ્કેલ નથી કે ભાજપ મહારાષ્ટ્રમાં આટલી હતાશ કેમ હતી? પરંતુ આ ધાંધલી મેચ ફિક્સિંગ જેવી છે- જે પક્ષ છેતરપિંડી કરે છે તે મેચ જીતી શકે છે, પરંતુ સંસ્થાઓને નુકસાન પહોંચાડે છે. આવા પરિણામો જનતાનો વિશ્વાસ નષ્ટ કરે છે. બધા સંબંધિત ભારતીયોએ પુરાવા જોવા જોઈએ અને જાતે નિર્ણય લે, જવાબો માગો. કારણ કે મહારાષ્ટ્રની મેચ ફિક્સિંગ આગામી વખત બિહારમાં થશે અને પછી ભાજપ જ્યાં હારી રહી હશે.
ચૂંટણી પંચ પર રાહુલ ગાંધીના આરોપો
એપ્રિલ મહિનાની શરૂઆતમાં, રાહુલ ગાંધીએ અમેરિકાના બોસ્ટનમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે ચૂંટણી પંચ હવે નિષ્પક્ષ રહ્યું નથી, તેણે સમજૂતી કરી લીધી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ના મતદાનના આંકડાના સંદર્ભ આપતા આરોપ લગાવ્યો હતો કે છેલ્લા બે કલાકમાં લાખો મત આપવાનું ભૌતિક રીતે અશક્ય હતું.
રાહુલે દાવો કર્યો હતો કે, ‘ચૂંટણી પંચે સાંજે 5:30 વાગ્યા સુધીમાં આંકડો આપ્યો અને પછી 5:30 થી 7:30 વાગ્યા સુધીમાં 65 લાખ વધુ મત પડ્યા. જો કોઈ મતદારને મતદાન કરવામાં લગભગ 3 મિનિટ લાગે છે, તો આટલા ઓછા સમયમાં આટલા મત નહીં પડી શકે. તેનો અર્થ એ હોય શકે છે કે મધ્યરાત્રિ સુધી લાઈનો હતી, જે સાચું નથી.’
ભાજપનો વળતો પ્રહાર
ભાજપે રાહુલ ગાંધીના દાવાઓને અપમાનજનક ગણાવ્યા છે. ભાજપના નેતા તુહિન સિંહાએ કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધી દેશની સંસ્થાઓને બદનામ કરવાની પોતાની શરમજનક હરકતો પર પાછા આવી ગયા છે. આ મુદ્દાઓને ચૂંટણી પંચે વારંવાર વિગતવાર સંબોધિત કર્યા છે.’
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ શું હતું
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીઓ ભાજપની આગેવાનીવાળી મહાયુતિ ગઠબંધને જીતી હતી. રાજ્યમાં મહાયુતિ અને મહા વિકાસ આઘાડી વચ્ચે મુખ્ય રેસ હતી. મહાયુતિએ 288 વિધાનસભા સીટોમાથી 230 સીટો જીતી હતી. 230 સીટોમાંથી, એકલા ભાજપે 132 સીટો જીતી હતી. એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ 57 સીટો જીતી હતી અને અજિત પવારની NCPએ 41 સીટો જીતી હતી. મહા વિકાસ આઘાડી પાર્ટીએ માત્ર 46 સીટો જીતી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp