મોદી સરકાર પાછું કંઈક મોટું કરવાની કે શું? આ ચાર રાજ્યોમાં ફરી વાગશે સાયરન અને થશે બ્લેકઆઉટ

મોદી સરકાર પાછું કંઈક મોટું કરવાની કે શું? આ ચાર રાજ્યોમાં ફરી વાગશે સાયરન અને થશે બ્લેકઆઉટ

05/29/2025 National

SidhiKhabar

SidhiKhabar

મોદી સરકાર પાછું કંઈક મોટું કરવાની કે શું? આ ચાર રાજ્યોમાં ફરી વાગશે સાયરન અને થશે બ્લેકઆઉટ

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરતા પાકિસ્તાનમા ઘૂસીને આતંકી ઠેકાણા નષ્ટ કરી દેવામાં આવ્યા, પરંતુ એ આતંકિસ્તાનને પસંદ ન આવ્યું અને ભારતના રેસિડેન્શિયલ વિસ્તાર અને ભારતીય એરબેઝ પર હુમલો કરવાનું ચાલુ કર્યું, પરંતુ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો અને પાકિસ્તાનની કોઈ નાપાક હરકત સફળ ન થવા દીધી. ઉપરાંત ભારતે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તના નૂર ખાન એરબેઝ સહિત ઘણા સૈન્ય પ્રતિષ્ઠાનોને નુકસાન પહોંચાડ્યું. ત્યારબાદ પાકિસ્તાન કરગરવા લાગ્યું કે કોઈ તો ભારતને રોકો. ત્યારબાદ પાકિસ્તાનનાં DGMOeએ ફોન કરીને સીઝફાયર કરવા કહ્યું અને 10 મેની સાંજે બંને દેશોની સહમતિથી સીઝફાયર કર્યું. છતાં એ રાતે પાકિસ્તાનની અવળચંડાઇ સામે આવી જ. તેણે સીઝફાયરનું એજ દિવસે ઉલ્લંઘન કરી નાખ્યું હતું. પરંતુ ત્યારબાદ બંને દેશો વચ્ચે શાંતિ છવાઈ.


આ 4 રાજ્યોમાં થશે મોકડ્રીલ

આ 4 રાજ્યોમાં થશે મોકડ્રીલ

હવે દેશમાં ફરી એકવાર મોક ડ્રીલની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનની સરહદે આવેલા ચાર રાજ્યો જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ગુજરાત અને પંજાબમાં મોક ડ્રીલ કરવામાં આવશે. આ દરમિયાન લોકોને સતર્ક કરવામાં આવશે. ગઈ વખતે મોક ડ્રીલ અગાઉ ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું.

આ ચાર રાજ્યોમાં ફરીથી મોક ડ્રીલ કરવાનું સૌથી મોટું કારણ લોકોને સંપૂર્ણ રીતે તૈયાર કરવાનું છે કે જો ભવિષ્યમાં પાકિસ્તાન તરફથી કોઈ હુમલો થાય છે, તો સામાન્ય નાગરિકોએ પોતાનું રક્ષણ કેવી રીતે કરવું જોઈએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 3300 કિલોમીટરની સરહદ છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત, આ 4 રાજ્યો પાકિસ્તાન સાથે સરહદ શેર કરે છે. જો કે હવે પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં મોક ડ્રિલ સ્થગિત કરવામાં આવ્યું છે, હવે આ અંગે નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.


મોક ડ્રીલ શું છે?

મોક ડ્રીલ શું છે?

મોક ડ્રીલ એક પ્રકારની પ્રેક્ટિસ’ છે જેમાં લોકોને કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા અંગે માહિતી આપવામાં આવે છે. લોકોને કહેવામાં આવે છે કે જો હવાઈ હુમલો કે બોમ્બ હુમલો થઈ જાય સામાન્ય લોકો કેવી રીતે બચે.

22 એપ્રિલે પહેલગામ હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને કબજા હેઠળના કાશ્મીર (PoK)માં આવેલા 9 આતંકી અડ્ડા તબાહ કરી દેવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓ માર્યા ગયા બાદ, પાકિસ્તાન બોખલાયું હતું. તેણે 400થી વધુ ડ્રોનથી ભારત પર હુમલો કર્યો. જોકે, ભારતે માત્ર બધા ડ્રોનને ન માત્ર, પરંતુ પાકિસ્તાનને જડબાતોડ જવાબ પણ આપ્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top