જગદગુરુ રામચંદ્રાચાર્યએ સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી પાસે દક્ષિણામાં એવી વસ્તુ માગી કે જાણીને

જગદગુરુ રામચંદ્રાચાર્યએ સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી પાસે દક્ષિણામાં એવી વસ્તુ માગી કે જાણીને ગર્વથી ગદગદ થઈ જશો

05/29/2025 National

SidhiKhabar

SidhiKhabar

જગદગુરુ રામચંદ્રાચાર્યએ સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી પાસે દક્ષિણામાં એવી વસ્તુ માગી કે જાણીને

ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તાજેતરમાં જગદગુરુ રામભદ્રાચાર્ય સાથે ચિત્રકૂટ સ્થિત તેમના આશ્રમમાં મુલાકાત કરી હતી. આર્મી ચીફે આશ્રમની મુલાકાત લીધી હતી અને સદગુરુ આંખની હૉસ્પિટલમાં સિમ્યુલેટર મશીનનું ઉદ્ઘાટન કર્યું હતું. આર્મી ચીફની મુલાકાત દરમિયાન, જગદગુરુ રામભદ્રાચાર્યએ તેમને દીક્ષા આપી હતી. હવે રામભદ્રાચાર્યએ ખુલાસો કર્યો છે કે તેમણે દીક્ષાના બદલામાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પાસેથી શું માગ્યું છે.


આર્મી ચીફને રામ મંત્રથી મળી દીક્ષા

આર્મી ચીફને રામ મંત્રથી મળી દીક્ષા

આર્મી ચીફની મુલાકાત બાબતે માહિતી આપતા, જગદગુરુ રામભદ્રાચાર્યએ એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું- ‘મેં તેમને રામ મંત્રથી એ જ દીક્ષા આપી હતી જે ભગવાન હનુમાનને માતા સીતા પાસેથી પ્રાપ્ત થઇ હતી અને પછી લંકા જીતી હતી. મેં તેમની પાસે દક્ષિણા માગી છે કે મને PoK પાછું જોઈએ છે.


આર્મી ચીફે સિમ્યુલેટર મશીનનું ઉદ્ઘાટન કર્યું

આર્મી ચીફે સિમ્યુલેટર મશીનનું ઉદ્ઘાટન કર્યું

સદગુરુ સેવા કેન્દ્રના એક સભ્યએ માહિતી આપી હતી કે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને સદગુરુએ તેમના કેન્દ્રની મુલાકાત લીધી છે. તેમણે જણાવ્યું હતું કે જગદગુરુ અને આર્મી ચીફે તબીબી તાલીમ માટે ઉપયોગમાં થનારું સિમ્યુલેટર મશીન જોયું. આખા ભારતમાં એવી માત્ર 4-5 મશીનો છે અને મધ્ય પ્રદેશમાં આ પહેલું મશીન છે. તેમણે મશીનનું ઉદ્ઘાટન કર્યું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top