જગદગુરુ રામચંદ્રાચાર્યએ સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી પાસે દક્ષિણામાં એવી વસ્તુ માગી કે જાણીને ગર્વથી ગદગદ થઈ જશો
ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તાજેતરમાં જગદગુરુ રામભદ્રાચાર્ય સાથે ચિત્રકૂટ સ્થિત તેમના આશ્રમમાં મુલાકાત કરી હતી. આર્મી ચીફે આશ્રમની મુલાકાત લીધી હતી અને સદગુરુ આંખની હૉસ્પિટલમાં સિમ્યુલેટર મશીનનું ઉદ્ઘાટન કર્યું હતું. આર્મી ચીફની મુલાકાત દરમિયાન, જગદગુરુ રામભદ્રાચાર્યએ તેમને દીક્ષા આપી હતી. હવે રામભદ્રાચાર્યએ ખુલાસો કર્યો છે કે તેમણે દીક્ષાના બદલામાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પાસેથી શું માગ્યું છે.
આર્મી ચીફની મુલાકાત બાબતે માહિતી આપતા, જગદગુરુ રામભદ્રાચાર્યએ એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું- ‘મેં તેમને રામ મંત્રથી એ જ દીક્ષા આપી હતી જે ભગવાન હનુમાનને માતા સીતા પાસેથી પ્રાપ્ત થઇ હતી અને પછી લંકા જીતી હતી. મેં તેમની પાસે દક્ષિણા માગી છે કે મને PoK પાછું જોઈએ છે.’
સદગુરુ સેવા કેન્દ્રના એક સભ્યએ માહિતી આપી હતી કે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને સદગુરુએ તેમના કેન્દ્રની મુલાકાત લીધી છે. તેમણે જણાવ્યું હતું કે જગદગુરુ અને આર્મી ચીફે તબીબી તાલીમ માટે ઉપયોગમાં થનારું સિમ્યુલેટર મશીન જોયું. આખા ભારતમાં એવી માત્ર 4-5 મશીનો છે અને મધ્ય પ્રદેશમાં આ પહેલું મશીન છે. તેમણે મશીનનું ઉદ્ઘાટન કર્યું.
🚨 Jagadguru Rambhadracharya to Army Chief General Upendra Dwivedi: "I gave him Ram Mantra Diksha, like Hanuman got from Maa Sita before conquering Lanka.""My Dakshina? Bring back PoK." 🇮🇳🔥 pic.twitter.com/EdJNclXxhV — Megh Updates 🚨™ (@MeghUpdates) May 29, 2025
🚨 Jagadguru Rambhadracharya to Army Chief General Upendra Dwivedi: "I gave him Ram Mantra Diksha, like Hanuman got from Maa Sita before conquering Lanka.""My Dakshina? Bring back PoK." 🇮🇳🔥 pic.twitter.com/EdJNclXxhV
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp