નેશનલ હેરાલ્ડ કેસમાં EDની કાર્યવાહી શરૂ, 661 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવશે; ફટકારાઇ નોટિસ
આ સમગ્ર મામલાની શરૂઆત ડૉ. સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદથી શરૂ થઇ હતી, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને તેમના સાથીઓએ માત્ર 50 લાખ રૂપિયા આપીને AJLની 2000 કરોડ રૂપિયાની સંપત્તિ હડપી લીધી. જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી ત્યારે એ પણ બહાર આવ્યું કે નકલી ડોનેશન, ખોટું ભાડું અને નકલી જાહેરાતો દ્વારા 85 કરોડ રૂપિયાથી વધુની રકમ પણ ઉચાપત કરવામાં આવી હતી. હવે EDએ આ સંપત્તિનો કબજો લેવા માટે નોટિસો ચોંટાડી છે અને તેનો કબજો લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
એજન્સીના જણાવ્યા અનુસાર, AJL-યંગ ઇન્ડિયન નેટવર્કનો કથિત રીતે ઉપયોગ નકલી ડોનેશન દ્વારા 18 કરોડ રૂપિયા, એડવાન્સ ભાડા તરીકે 38 કરોડ રૂપિયા અને જાહેરાતોના માધ્યમથી 29 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ભંડોળ એકત્ર કરવા માટે કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવીનતમ પગલાનો હેતુ દૂષિત પરિસંપત્તિયોના સતત ઉપભોગ, ઉપયોગ અને વધુ ઉત્પાદનને રોકવાનો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp