દિગ્ગજ અભિનેતા ફરી રાજકીય વાપસી કરી શકે છે..'2004માં જીત્યાં હતા! આ પાર્ટી તરફથી લડી શકે છે?જાણ

દિગ્ગજ અભિનેતા ફરી રાજકીય વાપસી કરી શકે છે..'2004માં જીત્યાં હતા! આ પાર્ટી તરફથી લડી શકે છે?જાણો

03/23/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

દિગ્ગજ અભિનેતા ફરી રાજકીય વાપસી કરી શકે છે..'2004માં જીત્યાં હતા! આ પાર્ટી તરફથી લડી શકે છે?જાણ

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે ત્યારે દરેક પક્ષો તેમના ઉમેદવારો નક્કી કરી રહ્યા છે. આ જ મામલે હવે અભિનેતા ગોવિંદા પણ લોકસભા ચૂંટણીના મેદાને ઉતરે તેવી શક્યતા વધી ગઈ છે. ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે તેમની મુલાકાત થઇ હતી.


શિવસેનામાં જોડાઈ શકે છે

શિવસેનામાં જોડાઈ શકે છે

શિવસેનાના સૂત્રોએ જણાવ્યું કે આ બેઠક ત્રણ-ચાર દિવસ પહેલા થઈ હતી. 2004માં ગોવિંદાએ કોંગ્રેસની ટિકિટ પર મુંબઈ-ઉત્તર લોકસભા બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા રામ નાઈકને હરાવ્યા હતા. બાદમાં તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી.

પૂર્વ સાંસદ ગોવિંદા એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના જૂથમાં જોડાય તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અભિનેતાને શિંદે કેમ્પના વર્તમાન સાંસદ ગજાનન કીર્તિકરના પુત્ર શિવસેના (ઉદ્ધવ જૂથ) અમોલ કીર્તિકર સામે મુંબઈ ઉત્તર પશ્ચિમ મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવશે.


ગોવિંદાને ક્યાંથી ઉમેદવાર જાહેર કરાઈ શકે?

ગોવિંદાને ક્યાંથી ઉમેદવાર જાહેર કરાઈ શકે?

ગોવિંદા ટૂંક સમયમાં જ શિંદેની હાજરીમાં પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિંદે જૂથ વર્તમાન સાંસદ ગજાનન કીર્તિકરની ઉંમરને ધ્યાનમાં રાખીને ગોવિંદાને મેદાનમાં ઉતારી શકે છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top