UPના રાજ્ય મંત્રી સોનમ કિન્નરે રાજીનામું આપતા લગાવ્યા ગંભીર આરોપ, બોલ્યા- ‘કાર્યકર્તાઓની નથી..’
ઉત્તર પ્રદેશમાં રાજકીય તોફાન થોભવાનું નામ લઈ રહ્યો નથી. શુક્રવારે રાજ્ય મંત્રી (પ્રાપ્ત દરજ્જો) સોનમ કિન્નરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે, સરાકર તરફથી અત્યારે તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી, સોનમ કિન્નર રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. ત્યારથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ રાજીનામું આપી શકે છે. તેઓ સપા છોડીને ભાજપમાં સામેલ થયા હતા. પદ પરથી રાજીનામું આપવા સાથે જ સોનમે ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.
સોનામે કહ્યું કે, સરકારી અધિકારી કોઇની વાત સાંભળતા નથી. સોનમે આરોપ લગાવ્યો છે કે સરકારમાં તેમની વાતની સુનાવણી થતી નથી. સરકારી અધિકારીઓ કાર્યકર્તાઓની વાત સાંભળતા નથી. તેની સાથે સાથે કિન્નર કલ્યાણ બોર્ડને ફંડ પણ આપવામાં આવતું નથી. અગાઉ તેમણે સંગઠનને સરકાર કરતા મોટું ગણાવ્યું હતું. સોનમ અગાઉ જ નોકરશાહી સામે અવાજ ઉઠાવતા રહ્યા છે. તેની સાથે સાથે તેમણે ઉત્તર પ્રદેશમાં બુલડોઝરની કાર્યવાહીનો પણ વિરોધ કર્યો હતો.
લોકસભા ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ઉત્તર પ્રદેશ ભાજપમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. હાલમાં જ ભાજપ કાર્યકારી સમિતિની બેઠક પણ મળી હતી. જેમાં પાર્ટીના ઘણા નેતાઓએ પોતાની વાત રાખી હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સામેલ થયા હતા. લખનૌમાં આ બેઠકમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાર્યકર્તાઓને કહ્યું કે બેક ફૂટ પર આવવાની જરૂરિયાત નથી. અતિઉત્સાહના કારણે આપણને નુકસાન ઉઠાવવું પડ્યું છે, પરંતુ આગામી સમય માટે અત્યારથી કામ કરવું પડશે.
આજ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ સંગઠનને સરકાર કરતા પણ મોટું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે સંગઠન હંમેશા સરકાર કરતા મોટું હોય છે. મોર્યના આ નિવેદનને ઉત્તર પ્રદેશ ભાજપ અને સરકાર વચ્ચેની ખેંચતાણ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. આ નિવેદન બાદ જ તેઓ જે.પી. નડ્ડાને મળવા દિલ્હી પહોંચ્યા હતા. ત્યારબાદ ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી સાથે પણ નડ્ડાએ મુલાકાત કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp