Video: આ જગ્યાએ હૉટલમાં લાગી ભીષણ આગ, 14 લોકોના મોત
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના ફલપટ્ટી મછુઆમાં એક હૉટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં લગભગ 14 લોકોના મોત થઈ ગયા છે. એજન્સીના જણાવ્યા અનુસાર, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘મંગળવારે મધ્ય કોલકાતાના ફલપટ્ટી મછુઆ નજીક એક હૉટલમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં લગભગ 14 લોકોના મોત થયા છે.
પત્રકારો સાથે વાત કરતા, કોલકાતા પોલીસ કમિશનર મનોજ કુમાર વર્માએ જણાવ્યું હતું કે, ‘આગની ઘટના રાત્રે 8:15 વાગ્યે ઋતુરાજ હૉટલના પરિસરમાં બની હતી. 14 મૃતદેહો મળી આવ્યા છે અને ટીમો દ્વારા ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે.’
મીડિયા રિપોર્ટ મુજબ, ફાયર વિભાગની 10 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ પૂર્વી ભારતના સૌથી મોટા જથ્થાબંધ માર્કેટ બુર્રાબજારમાં ભીડભાડવાળા વિસ્તારમાં ઈમરજન્સી સેવાઓને કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આગ લાગવા દરમિયાન ઘણા લોકોએ ઇમારતની બારીઓ અને સાંકડી દીવાલોમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસ કમિશનરે જણાવ્યું કે, ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્રિય મંત્રી અને પશ્ચિમ બંગાળના ભાજપના અધ્યક્ષ સુકાંત મજૂમદારે રાજ્ય સરકારને પ્રભાવિત લોકોને બચાવવાનું આહ્વાન કરતા ભવિષ્યમાં એવી દુઃખદ ઘટનાઓને રોકવા માટે અગ્નિ સુરક્ષા ઉપાયોની સખત દેખરેખ કરવાનું આહ્વાન કર્યું હતું.
West Bengal | Manoj Kumar Verma, Kolkata Police Commissioner, says, "This fire incident took place at around 8:15 p.m. 14 bodies have been recovered, and several people have been rescued by the teams. The fire is under control, and rescue is underway. Further investigation is… https://t.co/bdOyqIYE9I pic.twitter.com/gujWPSnW7l — ANI (@ANI) April 29, 2025
West Bengal | Manoj Kumar Verma, Kolkata Police Commissioner, says, "This fire incident took place at around 8:15 p.m. 14 bodies have been recovered, and several people have been rescued by the teams. The fire is under control, and rescue is underway. Further investigation is… https://t.co/bdOyqIYE9I pic.twitter.com/gujWPSnW7l
કોલકતાના મેયર ફિરહાદ હકીમ અને પોલીસ કમિશનર વર્માએ ઘટનાસ્થલની મુલાકાત લીધી અને અગ્નિશમન કાર્યોનું નિરીક્ષણ કર્યું. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા પશ્ચિમ બંગાળ કોંગ્રેસનાં અધ્યક્ષ શંભુકર સરકારે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની નિંદા કરી. તેમણે કહ્યું કે, આ એક દુઃખદ ઘટના છે. આગ લાગી ગઈ. ઇમારતમાં ઘણા બધા લોકો ફસાઈ ગયા. કોઈ સુરક્ષા નહોતી. મને ખબર નથી કે પાલિકા શું કરી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp