પહેલગામ આતંકી હુમલા લઈને મોટો ખુલાસો! કંધાર હાઈજેક બાદ મસૂદ અઝહર સાથે જેને છોડાયો હતો એ આતંકીની

પહેલગામ આતંકી હુમલા લઈને મોટો ખુલાસો! કંધાર હાઈજેક બાદ મસૂદ અઝહર સાથે જેને છોડાયો હતો એ આતંકીની મોટી ભૂમિકા આવી સામે

05/05/2025 National

SidhiKhabar

SidhiKhabar

પહેલગામ આતંકી હુમલા લઈને મોટો ખુલાસો! કંધાર હાઈજેક બાદ મસૂદ અઝહર સાથે જેને છોડાયો હતો એ આતંકીની

Pahalgam Tarror Attack: પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને એક મોટો પુરાવો મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં અલ ઉમર મુજાહિદ્દીનના વડા મુશ્તાક અહમદ જરગરની ભૂમિકા સામે આવી છે. NIA તપાસમાં જાણવા મળ્યું છે કે તેના સમર્થકોએ પહેલગામ હુમલાના ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGW)ની મદદ કરી હતી.

મુશ્તાક અહમદ જરગર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ઓપરેશનલ કમાન્ડર છે અને વર્ષ 2019ના પુલવામા હુમલાનો આરોપી પણ છે. મુશ્તાક જરગરને કંદહાર હાઇજેકિંગ ઘટનામાં મૌલાના મસૂદ અઝહર સાથે મુક્ત કરવામાં આવ્યો હતો અને હાલમાં તે પાકિસ્તાનમાં રહે છે. અલગ-અલગ મામલે ધરપકડ કરાયેલા ઓવરગ્રાઉન્ડ વર્કર્સની પૂછપરછ દરમિયાન આ મહત્ત્વપૂર્ણ ખુલાસો થયો છે.


2023માં, NIAએ જરગરનું ઘર સીઝ કરેલું

2023માં, NIAએ જરગરનું ઘર સીઝ કરેલું

જરગરના આતંકવાદી સંગઠન પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને વર્ષ 2023માં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા તેનું ઘર સીઝ કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુશ્તાક જરગર હાલમાં પાકિસ્તાનમાં છે, પરંતુ શ્રીનગરનો હોવાથી, તેનો ઓવરગ્રાઉન્ડ વર્કર્સ અને તેના સમર્થકોમાં પ્રભાવ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એટલા માટે પહેલગામ આતંકવાદી હુમલામાં જરગરની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.


પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત

પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત

22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. મોતને ભેટેલા મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી અને સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી. તેમજ પાકિસ્તાની વિઝા રદ કરવામાં આવ્યા હતા. ભારતે પાકિસ્તાન સાથેનો તમામ વેપાર પણ સંપૂર્ણપણે બંધ કરી દીધો.


કંદહાર હાઇજેકિંગની ઘટના ક્યારે બની?

કંદહાર હાઇજેકિંગની ઘટના ક્યારે બની?

વર્ષ 1999માં નેપાળથી ઇન્ડિયન એરલાઇન્સનું એક વિમાન હાઇજેક કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ તેને કાઠમાંડુંથી અમૃતસર અને લાહોર બાદ અફઘાનિસ્તાનના કંદહાર લઈ ગયા હતા. આ વિમાનમાં 178 મુસાફરો સવાર હતા. આ મુસાફરોના બદલામાં આતંકવાદીઓએ મૌલાના મસૂદ અઝહર સહિત 3 આતંકવાદીઓને છોડવાની શરત રાખી હતી. આતંકવાદીઓએ એક અઠવાડિયા સુધી વિમાનને હાઈજેક કરી રાખ્યું હતું. તત્કાલીન અટલ બિહારી વાજપેયી સરકારે મુસાફરોના જીવ બચાવવા માટે ત્રણેય આતંકવાદીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. તેમાં મૌલાના મસૂદ અઝહર, મુશ્તાક અહમદ જરગર અને અહમદ ઓમર સઈદ શેખનો સમાવેશ થાય છે. આ આતંકવાદીઓને ખાસ વિમાન દ્વારા કંદહાર લઈ જવામાં આવ્યા હતા. આ જ મસૂદ અઝહરે વર્ષ 2000માં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની રચના કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top