Indian Politics : આજે કોંગ્રેસની ઊંઘ ઉડાવશે ભાજપ! રાજસ્થાન-છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી માટે શાહ-નડ્ડાનું નવું સમીકરણ
નેશનલ ડેસ્ક : રાજસ્થાનમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગૃહ વિસ્તાર જોધપુરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરવાના છે. શાહ અહીં ભાજપ ઓબીસી મોરચા કાર્યકારી સમિતિના સમાપન સત્રને સંબોધવાના છે. આ પછી, તેઓ 25,000 થી વધુ બૂથ કાર્યકરોને પણ સંબોધિત કરશે. તે જ સમયે, છત્તીસગઢમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની બેઠક પણ છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના જેપી નડ્ડા અને બીએલ સંતોષને બોલાવવામાં આવ્યા છે.
જોધપુરને રાજસ્થાનના મારવાડ ક્ષેત્રનો ગઢ માનવામાં આવે છે અને તે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતનું વતન પણ છે. ઓબીસી મોરચાને સંબોધતા અમિત શાહે 2023ની વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં પાર્ટીની ઓબીસી વોટ બેંકને મજબૂત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. રાજસ્થાનમાં OBCની વસ્તી 52 ટકા છે. જેમાંથી 11 ટકા જાટ છે. રાજ્યમાં 150થી વધુ બેઠકો પર સમુદાયનો પ્રભાવ છે. અત્યાર સુધી રાજસ્થાનમાં OBC સમુદાયના 55 ધારાસભ્યો છે, જેમાંથી 43 જાટ છે.
આ સિવાય જોધપુર ડિવિઝનમાં 200માંથી 33 વિધાનસભા સીટ છે. જેમાંથી 10 જોધપુર જિલ્લામાં છે. ભાજપ પાસે હાલમાં 14, કોંગ્રેસ પાસે 17, જ્યારે રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી અને અપક્ષો પાસે એક-એક બેઠક છે.
અમિત શાહ શુક્રવારે સાંજે રાજસ્થાનની બે દિવસની મુલાકાતે જેસલમેર પહોંચ્યા હતા. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ એરફોર્સ સ્ટેશન પર તેમનું સ્વાગત કર્યું. ગૃહમંત્રીએ દાબલા (જેસલમેર)માં દક્ષિણ સેક્ટર હેડક્વાર્ટર ખાતે BSF અધિકારીઓ સાથે વાતચીત કરી અને BSF ઓફિસર્સ ઇન્સ્ટિટ્યૂટમાં રાત વિતાવી. શનિવારે સવારે તેમણે તનોટ માતાના મંદિરે પૂજા અર્ચના કરી હતી. આ પછી સરહદ પર્યટન વિકાસના કામનો શિલાન્યાસ કરવાનો કાર્યક્રમ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp