ટ્રેનમાં બોમ્બ છે! જમ્મુ તવીથી અમદાવાદ આવતી ટ્રેનને રોકવામાં આવી
જમ્મુ તવીથી અમદાવાદ આવી રહેલી ટ્રેનને ફિરોજપુર સ્ટેશન પર રોકવમાં આવી. આ ટ્રેનમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી. ત્યારબદ હાહાકાર મચી ગયો. ટ્રેનને રોકીને તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં જમ્મુ રીજનમાં આતંકવાદી ઘટનાઓ વધી છે. એવામાં એજન્સીઓ પણ આતંકવાદી ઘટનાઓને લઇને એલર્ટ રહે છે. જાણકારી મુજબ બોમ્બ હોવાની સૂચના મળ્યા બાદ ટ્રેનને રોકી દેવામાં આવી અને તપાસ માટે એજન્સીઓ પહોંચી ગઇ. 2 કલાક ટ્રેનની ટ્રેનની તપાસ કરવામાં આવી. જો કે, અત્યાર સુધી કોઇ બોમ્બ મળ્યો નથી. રિપોર્ટ મુજબ, RPF પાસે કોઇ વ્યક્તિએ ફોન કરીને બોમ્બ હોવાની સૂચના આપી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp