કર્ણાટક સરકાર અને RCB પર આવી નવી મુશ્કેલી, આ મામલે નોંધાઈ ફરિયાદ

કર્ણાટક સરકાર અને RCB પર આવી નવી મુશ્કેલી, આ મામલે નોંધાઈ ફરિયાદ

06/09/2025 National

SidhiKhabar

SidhiKhabar

કર્ણાટક સરકાર અને RCB પર આવી નવી મુશ્કેલી, આ મામલે નોંધાઈ ફરિયાદ

મહાનગરના એક નાગરિક જૂથે સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કર્ણાટક રાજ્ય સરકાર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે કાર્યવાહી કરવાની માગ કરી છે અને દાવો કર્યો છે કે ગયા અઠવાડિયે થયેલી ભાગદોડથી તેમના વિસ્તારમાં આવેલા એક પાર્કની વાડને નુકસાન થયું હતું. કબ્બન પાર્ક વોકર્સ એસોસિએશને સ્થાનિક પોલીસને પત્ર લખીને સરકાર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિને કોઈપણ તૈયારી વિના સંભાળવામાં આવી હતી, જેના કારણે ભીડ એકઠી થઈ ગઈ હતી અને પાર્કને નુકસાન થયું હતું.


પત્રમાં શું કહેવામા આવ્યું છે?

પત્રમાં શું કહેવામા આવ્યું છે?

મીડિયા રિપોર્ટ્સ મુજબ પત્રમાં લખ્યું કે, ‘KSCA સ્ટેડિયમમાં RCBના વિજય ઉજવણીના તાજેતરના પ્રકરણ, જેનું આયોજન DNA નામની સંસ્થા અને કર્ણાટક સરકાર સહિત અન્ય સંગઠનો દ્વારા કોઈપણ તૈયારી વિના કરવામાં આવ્યું હતું, પરિણામે ભીડ કબ્બન પાર્કમાં ઉમટી પડી હતી અને વાડ, સજાવટી છોડ, ઝાડની ડાળીઓને નુકસાન પહોંચાડ્યું હતું અને સરકાર દ્વારા કોઈપણ જરૂરી પગલાં લીધા વિના વિસ્તારમાં શૌચક્રિયા કરી હતી.’ એસોસિએશને આર્મી હેડક્વાર્ટર સબ-ઝોન સામે પણ ફરિયાદ નોંધાવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્ટેડિયમની જમીન અને વાયરલેસ ઓફિસ સેનાની હોવાથી તેઓ કાયદો અને વ્યવસ્થા જાળવવાની તેમની ફરજમાં નિષ્ફળ ગયા હતા.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ‘તમારા ધ્યાનમાં એ પણ લાવવામાં આવ્યું છે કે સ્ટેડિયમની જમીન અને વાયરલેસ ઓફિસની સ્થિતિ આર્મીની છે, એટલે તેની જવાબદારી કર્ણાટક સબ-એરિયાની પણ છે. આર્મી દ્વારા રાજ્ય સરકારને અથવા આર્મી દ્વારા KSCAને જમીન ટ્રાન્સફર કરવા અંગે કોઈ દસ્તાવેજ નથી. એટલે આ ફરિયાદ આર્મી હેડક્વાર્ટર સબ-એરિયા વિરુદ્ધ પણ છે કારણ કે તેઓ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે. રાજ્ય સરકાર પર ફરજની બેદરકારીનો આરોપ લગાવતા, નાગરિક જૂથે કહ્યું કે કર્ણાટક સરકાર, KSCA સંગઠન, DNA, આર્મી સબ-એરિયા, RCB સામે કાર્યવાહી કરી શકાય છે. એટલે ફરિયાદ દાખલ કરવી જોઈએ અને કાયદા મુજબ કાર્યવાહી કરવી જોઈએ.


બેંગ્લોરમાં ભાગદોડની ઘટના ક્યારે અને કેવી રીતે બની?

બેંગ્લોરમાં ભાગદોડની ઘટના ક્યારે અને કેવી રીતે બની?

આ દુ:ખદ ઘટના 4 જૂને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની જીતની ઉજવણી દરમિયાન બની હતી. RCB ના પ્રથમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટાઇટલને સન્માનિત કરવા માટે આયોજિત કાર્યક્રમમાં દુઃખદ રીતે 11 લોકો માર્યા ગયા અને 70થી વધુ ઇજાગ્રસ્ત થયા. આ નાસભાગ સાંજે 5-7 વાગ્યાની વચ્ચે થઈ હતી, જ્યારે લગભગ 2,50,000 ચાહકો સ્ટેડિયમની બહાર ભેગા થયા હતા. સ્ટેડિયમમાં પ્રવેશવાના પ્રયાસોને કારણે પ્રવેશદ્વાર પર ભીડ થઈ ગઈ, જેના કારણે નાસભાગ મચી ગઈ. ફ્રી પાસની જાહેરાત તાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ, જેના કારણે ટિકિટ વિનાના ચાહકો ગેટ તરફ દોડી ગયા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટાભાગના ભોગ બનેલા યુવાનો અને મહિલાઓ હતા, જેમાં ઘણા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top