ટેસ્ટ સીરિઝ અગાઉ ભારતીય ટીમનું વધ્યું ટેન્શન, પ્રેક્ટિસ સેશન દરમિયાન ઇજાગ્રસ્ત થયો આ સ્ટાર ખેલા

ટેસ્ટ સીરિઝ અગાઉ ભારતીય ટીમનું વધ્યું ટેન્શન, પ્રેક્ટિસ સેશન દરમિયાન ઇજાગ્રસ્ત થયો આ સ્ટાર ખેલાડી

06/09/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

ટેસ્ટ સીરિઝ અગાઉ ભારતીય ટીમનું વધ્યું ટેન્શન, પ્રેક્ટિસ સેશન દરમિયાન ઇજાગ્રસ્ત થયો આ સ્ટાર ખેલા

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે તેની ધરતી પર 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમ આ ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. ભારતીય ખેલાડીઓએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે, સાથે જ ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓથી પરિચિત થવાનો પ્રયાસ પણ કર્યો છે.


ભારતીય ટીમની વધી ચિંતા

ભારતીય ટીમની વધી ચિંતા

જોકે, આ દરમિયાન ભારતીય ટીમની ટેન્શન વધી ગઈ છે. ટીમના ઉપ-કપ્તાન અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઇજાગ્રસ્ત થયો છે. રવિવારે (8 જૂન) બેકેનહામમાં એક પ્રેક્ટિસ સેશન દરમિયાન, બોલ પંતના ડાબા હાથમાં વાગ્યો હતો. રેવસ્પોર્ટ્ઝના અહેવાલ મુજબ, બોલ પંતને વાગવાથી ખૂબ પીડામાં દેખાતો હતો અને ટીમના ડૉક્ટરે તેના પર આઈસ પેક લગાવ્યો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રિષભ પંતના હાથમાં પાટો પણ બાંધવામાં આવ્યો હતો અને તે તેની રિકવરી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બાકીના નેટ સેશનમાંથી ગેરહાજર રહ્યો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની તાજેતરની સીઝનમાં રિષભ પંતનું પ્રદર્શન વધારે સારું રહ્યું નહોતું. પંતે 14 મેચમાં 24.45 ની સરેરાશથી 269 રન બનાવ્યા હતા.

રિષભ પંતે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. પંતની કેપ્ટનશીપવાળી લખનૌની ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. બીજી તરફ, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં પંતનું પ્રદર્શન સારું રહ્યું નહોતું. ત્યારે તે 5 ટેસ્ટ મેચમાં 28.33ની સરેરાશથી 255 રન બનાવી શક્યો હતો.

જો રિષભ પંત સંપૂર્ણપણે ફિટ ન હોય, તો ભારતીય ટીમ વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલનો ઉપયોગ કરી શકે છે. જોકે, પંત ટેસ્ટ શ્રેણી માટે ફિટ થવાની પૂરી શક્યતા છે. ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે અગાઉ, ભારતીય ટીમે 13 જૂનથી ભારત-A સામે ઇન્ટ્રા-સ્ક્વોડ મેચ પણ રમવાની છે.


ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમ:

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમ:

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત (ઉપ-કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઈશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.

ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડ ટીમ: બેન સ્ટોક્સ (કેપ્ટન), શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રૂક, બ્રાયડન કાર્સ, સેમ કૂક, જેક ક્રાઉલી, બેન ડકેટ, જેમી ઓવરટન, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટંગ, ક્રિસ વોક્સ.

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલ:

પહેલી ટેસ્ટ: 20-24 જૂન, 2025- હેડિંગ્લી, લીડ્સ

બીજી ટેસ્ટ: 2-6 જુલાઈ, 2025- એજબેસ્ટન, બર્મિંઘમ

ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઈ, 2025- લોર્ડ્સ, લંડન

ચોથી ટેસ્ટ: 23-27 જુલાઈ, 2025- ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર

પાંચમી ટેસ્ટ: 31 જુલાઈ- 4 ઓગસ્ટ, 2025- ધ ઓવલ, લંડન.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top