આ દિવસે થશે રિન્કુ સિંહ અને પ્રિયા સરોજના લગ્ન, સગાઈ બાદ નક્કી થઈ ગઈ તારીખ

આ દિવસે થશે રિન્કુ સિંહ અને પ્રિયા સરોજના લગ્ન, સગાઈ બાદ નક્કી થઈ ગઈ તારીખ

06/09/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

આ દિવસે થશે રિન્કુ સિંહ અને પ્રિયા સરોજના લગ્ન, સગાઈ બાદ નક્કી થઈ ગઈ તારીખ

લખનૌમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં રિન્કુ સિંહ અને પ્રિયા સરોજે સગાઈ કરી લીધી હતી. એક-બીજાની આંગળીમાં વિંટી પહેરાવીને ખૂબ ઠુમકા પણ લગાવ્યા. આ સમારોહમાં 300થી વધુ મહેમાનો હાજર રહ્યા હતા, જેમાં રાજનીતિ અને ક્રિકેટની હસ્તિઓ પણ સામેલ હતી. વિંટી પહેર્યા બાદ, બંનેએ એક સાથે હાથ ઉંચા કરીને ઉજવણી કરી. સગાઈ બાદ એ સવાલ ઉઠાવો વ્યાજબી છે, ભારતીય ટીમના આ વિસ્ફોટક બેટ્સમેન ક્યારે લગ્ન કરશે?


રિન્કુ સિંહના લગ્નની તારીખ

રિન્કુ સિંહના લગ્નની તારીખ

રિન્કુ સિંહ અને પ્રિયા સરોજના સગાઈ સમારોહ 8 જૂને લખનૌની સેન્ટ્રમ 5-સ્ટાર હોટેલમાં થયો હતો. તેમના લગ્ન આ વર્ષે 18 નવેમ્બરે વારાણસીની તાજ હોટેલમાં શાહી અંદાજમાં કરવવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમના લગ્ન સમારોહમાં મહેમાનોની યાદી સગાઈ કરતા પણ મોટી હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોલિવુડના મોટા સ્ટાર્સથી લઈને ક્રિકેટરો અને રાજનીતિ સાથે જોડાયેલી મોટી હસ્તીઓ લગ્ન સમારોહમાં હાજરી આપી શકે છે.


કોણ છે પ્રિયા સરોજ?

કોણ છે પ્રિયા સરોજ?

કહેવામાં આવી રહ્યું છે કે રિન્કુ લગ્નના 2 દિવસ પહેલા એટલે કે 16 નવેમ્બરે વારાણસી પહોંચશે. પરિવારના સભ્યો અને નજીકના સંબંધીઓ હોટલમાં રોકાયા હોવાના અહેવાલ છે, જ્યાં હલ્દી અને મહેંદીની વિધિ કરવામાં આવશે. પ્રિયા સરોજ ભારતના સૌથી યુવા સાંસદોમાંથી એક છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં, તેમણે ઉત્તર પ્રદેશની મછલીશહર બેઠક પરથી બીપી સરોજને 38,000થી વધુ મતોથી હરાવ્યા હતા.

જો આપણે રિન્કુ સિંહની ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો, તેણે 2023 બાદ કોઈ વન-ડે મેચ રમી નથી. પરંતુ તે ભારતીય T20 ટીમનો અભિન્ન હિસ્સો રહ્યો છે. તેણે અત્યાર સુધી 33 મેચની T20 કારકિર્દીમાં 42ની સરેરાશથી 546 રન બનાવ્યા છે. રિન્કુને હજુ સુધી ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top