કોણ છે RCBના નિખિલ સોસલે? જેમની બેંગ્લોર નાસભાગ કેસમાં થઈ ધરપકડ

કોણ છે RCBના નિખિલ સોસલે? જેમની બેંગ્લોર નાસભાગ કેસમાં થઈ ધરપકડ

06/06/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

કોણ છે RCBના નિખિલ સોસલે? જેમની બેંગ્લોર નાસભાગ કેસમાં થઈ ધરપકડ

Who Is Nikhil Sosale: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 18 વર્ષ બાદ પહેલી વખત IPL ટ્રોફી જીતી. જીતની ખુશીમાં બેંગ્લોરમાં વિક્ટ્રી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર નાસભાગ મચી ગઈ હતી, જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે હવે સરકાર એક્શનમાં આવી છે? ત્યારબાદ પોલીસે RCBના નિખિલ સોસલેની ધરપકડ કરી છે.


RCBના નિખિલ સોસલેની ધરપકડ

RCBના નિખિલ સોસલેની ધરપકડ

પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે લગભગ 6:30 વાગ્યે સોસલે મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે તેને બેંગ્લોરના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. ગુરુવારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બદ-ઇરાદે હત્યા સહિત એક FIR નોંધાયા બાદ RCBના પ્રતિનિધિઓની ધરપકડનો આદેશ આપ્યો હતો. સોસલેની સાથે, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની DNA એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના 3 સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી છે.


કોણ છે RCBના નિખિલ સોસલે?

કોણ છે RCBના નિખિલ સોસલે?

તેમની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, 18 ઓગસ્ટ 1986ના રોજ જન્મેલા સોસલે છેલ્લા 2 વર્ષથી RCBના માર્કેટિંગ અને રેવન્યૂ હેડ છે. સોસલે મૂળ રૂપે ડિયાજિયો ઇન્ડિયાના કર્મચારી છે, જે RCBના માલિક યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ (USL)નું સંચાલન કરે છે. ભૂતપૂર્વ માલિક વિજય માલ્યાના ગયા બાદ USL, RCBના પૂર્ણ-સમયના માલિક બની. સોસલી વિશે વાત કરીએ તો, તે RCB બ્રાન્ડ પાછળની ડિઝાઇન અને રણનીતિના પ્રભારી છે. RCB હાલમાં IPLની સૌથી લોકપ્રિય ટીમોમાંથી એક છે. બેંગ્લોરમાં રહેતા સોસલી 13 વર્ષથી ડિયાજિયો સાથે સંકળાયેલા છે, જ્યાં તેમણે હંમેશાં ફ્રેન્ચાઇઝી સાથે મળીને કામ કર્યું છે.

આ દરમિયાન, સોસલી RCBમાં બિઝનેસ પાર્ટનરશિપના પ્રમુખ પણ રહ્યા છે. મોટાભાગે તેમને ઘણીવાર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા સાથે RCBના પ્રાઇવેટ બોક્સમાં જોવા મળતા હતા. કોહલી તેમને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરે છે. સોસલીએ ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં જેમ્સ કૂક યુનિવર્સિટીમાંથી ડબલ મેજરની ડિગ્રી મેળવી છે. સોસલી ઘણા વર્ષોથી RCBની માર્કેટિંગ અને બિઝનેસ સ્ટ્રેટેજી સાથે સંકળાયેલા છે, જેના કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સોસલીએ IPL ટાઇટલ જીતવાની ઉજવણી માટે બસ પરેડની વ્યવસ્થા અને સંચાલનની દેખરેખ કરી હશે. સૂત્રોએ જણાવ્યું હતું કે RCBના માર્કેટિંગ અને રેવન્યૂ હેડ નિખિલ સોસલે, DNA એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના સુનિલ મેથ્યૂ અને કિરણ કુમારની પૂછપરછ કરવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top