18 વર્ષ બાદ IPL ટ્રોફી જીતનારી RCBના માલિક કોણ છે? ફેંસ શોધી રહ્યા છે આ સવાલનો જવાબ
Who is the owner of RCB: IPL આખરે પોતાના બધા જ રંગો બતાવીને પૂરી થઈ ગઈ છે, આ વખતે વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 18 વર્ષ બાદ IPLની ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો છે. વિરાટની ટીમ RCBની મેચ શ્રેયસ ઐયરની આગેવાનીવાળી પંજાબ કિંગ્સ (PBKS) સામે હતી, એટલે કે બંને ટીમો પહેલીવાર જીતનો સ્વાદ ચાખવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે, બેંગ્લોરે જીત મેળવી અને ટ્રોફી ઉપાડવાનો આનંદ માણ્યો.
હવે, IPLમાં ખેલાડીઓ ઉપરાંત, ટીમના માલિકોની પણ દર વખતેની જેમ આ વખતે પણ ઘણી ચર્ચા થઈ હતી. જેમ કે મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના માલિક નીતા અંબાણી, હૈદરાબાદના કાવ્યા મારન, પંજાબના પ્રીતિ ઝિન્ટા અને કોલકાતાના શાહરુખ ખાન.. આ બધા લોકો પણ ઘણી વખત સ્ટેડિયમમાં જોવા મળ્યા. RCBએ IPL જીત્યા બાદ, હવે બધા ચાહકો અને અન્ય ક્રિકેટ પ્રેમીઓના મનમાં એક સવાલ ઘુમરાઈ રહ્યો છે કે RCBના માલિક કોણ છે? ચાલો અમે તમને આ સવાલનો જવાબ આપીએ.
જ્યારે પણ RCBની વાત આવે છે, ત્યારે વિજય માલ્યાનું નામ આવે છે, પરંતુ માલ્યા છેલ્લા ઘણા વર્ષોથી RCBનો માલિક નથી. RCBની માલિકી યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ (USL) નામની કંપની પાસે છે. આ એક દારૂ બનાવનારી મોટી કંપની છે. USLના ચેરમેન મહેન્દ્ર કુમાર શર્મા છે, એટલે કે એક હિસાબે તેઓ જ હાલમાં RCBના વર્તમાન માલિક છે. RCBની કુલ નેટવર્થ આ કંપનીના ખાતામાં જાય છે. ભલે RCBની માલિકી ધરાવતી આ કંપનીના ઉચ્ચ અધિકારીઓ ક્યારેય ચર્ચામાં આવ્યા નથી, પરંતુ આ વખતે RCBએ IPL ટ્રોફી જીતીને કરોડો રૂપિયા તેમના ખિસ્સામાં નાખવાનું કામ કર્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp