પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીનું મોત! આ ક્રિકેટર્સને લઇને પણ ઊડી ચૂકી છે અફવા
છેલ્લા કેટલાક દિવસોથી ભારત વિરોધી નિવેદનોને કારણે ચર્ચામાં રહેલા શાહિદ આફ્રિદીના મોતના સમાચાર આવ્યા. તેનાથી બધાને હેરાન કરી દીધા. સોશિયલ મીડિયા પર ફેલાયેલા આ ખોટા સમાચારમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનું મોત થઈ ગયું છે. જોકે, વાયરલ વીડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો હતો અને આ સમાચાર સંપૂર્ણપણે ખોટા હતા. સોશિયલ મીડિયાના આ યુગમાં, ઘણા સમાચાર ફેલાઈ જાય છે, લોકો તેની સત્યતા જાણ્યા વિના તેને આગળ ફોરવર્ડ કરી દે છે. શાહિદ આફ્રિદી અગાઉ પણ ઘણા ક્રિકેટરોના મોતના ખોટા સમાચાર ફેલાઈ ચૂક્યા છે.
ન્યૂઝીલેન્ડના ક્રિકેટર નાથન મેક્કુલમના મોતના સમાચાર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યારબાદ, ક્રિકેટરે પોતે નિવેદન આપવું પડ્યું કે તેનું મોત થયું નથી, તે જીવિત છે. તેણે ટ્વીટ કરતા કહ્યું કે, ‘હું જીવંત છું, અગાઉ કરતા વધુ સારો છું. મને ખબર નથી કે આ સમાચાર ક્યાંથી આવ્યા, પરંતુ તે ખોટા છે. તમને બધાને પ્રેમ.’
નાથન મેક્કુલમે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 84 વન-ડે અને 63 T20 મેચ રમી હતી. તેણે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે બાંગ્લાદેશ સામે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
શાહિદ આફ્રિદી અગાઉ પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન ઉમર અકમલના મોતના ખોટા સમાચાર પણ ફેલાવવામાં આવ્યા હતા. 2017માં આ ખોટા સમાચાર ફેલાયા બાદ, લોકો સોશિયલ મીડિયા પર ઉમર અકમલને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા. લોકો RIP લખીને મેસેજ શેર કરી રહ્યા હતા. ત્યારબાદ તેણે પોતે આવીને તેનું ખંડન કર્યું હતું.
અકમલે ટ્વીટ કરતાં લખ્યું કે, ‘અલહમદુલ્લાહ, હું લાહોરમાં છું અને સંપૂર્ણપણે સુરક્ષિત છું. સોશિયલ મીડિયા પર આવી રહેલા બધા સમાચાર ખોટા છે. ઇન્શાઅલ્લાહ હું રાષ્ટ્રીય T20 કપની સેમિફાઇનલમાં રમીશ.’
ઓગસ્ટ 2023માં, એક સમાચાર આવ્યા હતા કે ઝીમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર હીથ સ્ટ્રીકનું મોત થઈ ગયું છે. તેના મોતના સમાચાર ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર હેનરી ઓલાંગાએ આપ્યા હતા. તેમણે લખ્યું હતું કે, ‘દુઃખદ સમાચાર છે કે હીથ સ્ટ્રીક હવે આ દુનિયામાં નથી રહ્યા. શ્રદ્ધાંજલિ, તમે એક શાનદાર ઓલરાઉન્ડર હતા, તમારી સાથે રમવું મારા માટે સૌભાગ્યની વાત હતી.’
ત્યારબાદ, ઘણા ભારતીય ક્રિકેટરોએ પણ શ્રદ્ધાંજલિ આપવાનું ચાલુ કરી દીધું હતું, પરંતુ બાદમાં ઓલંગાએ પોતે કહ્યું કે તેમના મોતના સમાચાર ખોટા હતા. તેઓ પણ આ અફવાનો ભોગ બન્યા હતા. પહેલી ટ્વીટ ડીલિટ કર્યા બાદ, તેણે એક નવી પોસ્ટમાં જણાવ્યું કે તે ઠીક છે અને મેં તેની સાથે વાત કરી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp