‘સપનું સાકાર થઈ ગયું’, અમૂલની ચિનાબ બ્રિજવાળી જાહેરાત પર શું બોલ્યા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ?

‘સપનું સાકાર થઈ ગયું’, અમૂલની ચિનાબ બ્રિજવાળી જાહેરાત પર શું બોલ્યા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ?

06/09/2025 National

SidhiKhabar

SidhiKhabar

‘સપનું સાકાર થઈ ગયું’, અમૂલની ચિનાબ બ્રિજવાળી જાહેરાત પર શું બોલ્યા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ?

પાકિસ્તાનમાં આતંકવાદીઓ સામે ઓપરેશન સિંદૂર ચલાવ્યા બાદ, ભારતે પાડોશી દેશને વધુ એક ઝટકો આપ્યો છે. કાશ્મીરના રિયાસીમાં બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલ પુલે ન માત્ર એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું, પરંતુ પાકિસ્તાન અને ચીન બંને માટે પણ સમસ્યાઓ ઉભી કરી છે. એક તો, હવે પીર પંજાલના જંગલોમાં આતંકવાદીઓ માટે છુપાઈ રહેવું મુશ્કેલ થઈ જશે. બીજું, સેના અને લોજિસ્ટિક્સ માટે લદ્દાખ પહોંચવું પણ સરળ થઈ જશે. અમૂલે ચિનાબ બ્રિજને લઈને એક શાનદાર જાહેરાત પ્રકાશિત કરાવી છે.


રેલ મંત્રીએ અમૂલની જાહેરાત શેર કરી

રેલ મંત્રીએ અમૂલની જાહેરાત શેર કરી

અમૂલે ચિનાબ બ્રિજની તસવીર પર કેપ્શન લખ્યું છે, ‘સપનું સાકાર થઈ ગયું. તો નીચે તરફ લખવામાં આવ્યું છે ‘ટિકિટ ટૂ ટેસ્ટ. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત પર પ્રતિક્રિયા આપતા થેન્ક યૂ અમૂલ લખ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર અમૂલની પોસ્ટ શેર કરી છે.


6 જૂને PM મોદીએ ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કરેલું

6 જૂને PM મોદીએ ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કરેલું

6 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. ચિનાબ નદી પર બનેલા આ કમાન બ્રિજની ઊંચાઈ 359 મીટર છે, જે એફિલ ટાવર કરતા વધુ છે. તે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંકનો એક ભાગ છે. આ બ્રિજ દ્વારા કાશ્મીર ખીણ પણ રેલ લિંક દ્વારા જોડાઈ ગઈ છે. આ 1.3 કિમી લાંબા બ્રિજનું બાંધકામ 2017માં શરૂ થયું હતું. આ બ્રિજ રિક્ટર સ્કેલ પર 8 સુધીના ભૂકંપનો સામનો સરળતાથી કરી શકે છે. આ પ્રોજેક્ટમાં લગભગ 30 હજાર ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્ટીલનું ઉત્પાદન સુરતમાં કરવામાં આવ્યું છે. આ બ્રિજ પરથી 260 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન પસાર થઈ શકે છે. આ ઉપરાંત, બોમ્બ વિસ્ફોટ પણ આ બ્રિજને નુકસાન નહીં પહોંચાડી શકે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top