આંધ્ર પ્રદેશના CM ચાંદરબાબુ નાયડુએ જણાવ્યું- કઈ રીતે ખતમ થશે ભ્રષ્ટાચાર

આંધ્ર પ્રદેશના CM ચાંદરબાબુ નાયડુએ જણાવ્યું- કઈ રીતે ખતમ થશે ભ્રષ્ટાચાર

06/09/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

આંધ્ર પ્રદેશના CM ચાંદરબાબુ નાયડુએ જણાવ્યું- કઈ રીતે ખતમ થશે ભ્રષ્ટાચાર

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે મોટી ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાની હિમાયત કરી છે. તેમણે કહ્યું કે, 500 રૂપિયાની નોટ બંધ કરવી જોઈએ. એક ઇન્ટરવ્યૂમાં નાયડુએ કહ્યું કે, 'બધી મોટી ચલણી નોટો નાબૂદ કરી દેવી જોઈએ. ત્યારે જ ભ્રષ્ટાચાર મટાડી શકાશે.' તેમણે એમ પણ કહ્યું કે માત્ર 100 અને 200 રૂપિયાની નીચેની જ નોટ ચલણમાં રહેવી જોઈએ, 500 રૂપિયાની નોટની કોઈ જરૂરિયાત નથી.’


નાયડુએ ફ્રીબિઝ કલ્ચર પર શું કહ્યું?

નાયડુએ ફ્રીબિઝ કલ્ચર પર શું કહ્યું?

મફત યોજનાઓ (ફ્રીબિઝ કલ્ચર) પર પૂછાયેલા સવાલના જવાબમાં નાયડુએ કહ્યું કે, 'ફ્રીબિઝ શબ્દ સાચો નથી. અગાઉ વધારે કલ્યાણકારી યોજનાઓ નહોતી. પરંતુ પૂર્વ મુખ્યમંત્રી એન.ટી. રામા રાવે ઘણી લાભદાયી યોજનાઓ શરૂ કરી. આજે દેશમાં સંપત્તિ બની રહી છે, પરંતુ અમીર અને ગરીબ વચ્ચેનું અંતર પણ વધી રહ્યું છે. કલ્યાણકારી યોજનાઓ સાર્થક હોવી જોઈએ અને તેની ડિલિવરી અસરકારક રીતે થવી જોઈએ.’


જાતિગત અને સ્કિલ બંને પ્રકારની વસ્તી ગણતરી જરૂરી

જાતિગત અને સ્કિલ બંને પ્રકારની વસ્તી ગણતરી જરૂરી

નાયડુએ જાતિગત વસ્તી ગણતરી અને સ્કિલ વસ્તી ગણતરી બંનેનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે, ‘જાતિગત, કૌશલ્ય આધારિત અને આર્થિક વસ્તી ગણતરી દરેક નાગરિક માટે એકસાથે થવી જોઈએ. આજના સમયમાં, ડેટા ખૂબ તાકતવાન બની ગયા છે. તેનાથી પબ્લિક પોલિસીને વધુ સારી રીતે લાગૂ કરી શકાય છે.' કેન્દ્ર સરકારે તાજેતરમાં રાષ્ટ્રવ્યાપી જાતિગત વસ્તી ગણતરીને મંજૂરી આપી છે. અત્યાર સુધી, બિહાર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં આવી વસ્તી ગણતરી કરવામાં આવી છે.


'હિન્દી શીખવામાં શું ખોટું છે?'

'હિન્દી શીખવામાં શું ખોટું છે?'

નાયડુએ અગાઉ એક મુલાકાતમાં હિન્દીને રાષ્ટ્રીય ભાષા તરીકે સમર્થન આપ્યું હતું. આ વખતે પણ તેમણે પોતાના આ જ અભિપ્રાયનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે, 'સ્થાનિક ભાષા, માતૃભાષા જરૂરી છે, તેમાં કોઈ સમાધાન નહીં થઈ શકે- પછી ભલે તામિલ હોય, તેલૂગુ હોય કે કન્નડ. પરંતુ આપણે હિન્દી પણ કેમ ન શીખી શકીએ જેથી આપણે ઉત્તર ભારતીયો સાથે વાતચીત કરી શકીએ? રાષ્ટ્રીય સ્તર પર તેને માન્યતા આપવામાં કોઈ ખરાબી નથી.'

નાયડુના વિરોધીઓ તેમના પર અમરાવતી ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટના નામે જમીન કૌભાંડનો આરોપ લગાવે છે. આ અંગે તેમણે કહ્યું કે, ‘દૂરદર્શી લોકો હંમેશાં અલગ રીતે વિચારે છે. જ્યારે મેં હૈદરાબાદ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, ત્યારે પણ વિરોધીઓ મારા પર સવાલ ઉઠાવી રહ્યા હતા. પરંતુ થોડા મહિનામાં મેં હૈદરાબાદમાં પાણી પહોંચાડ્યું, કંપનીઓને બોલાવી. હું ગર્વથી કહું છું કે, હૈદરાબાદ અને અમરાવતી ભવિષ્યમાં ભારતના નંબર-1 અને નંબર-2 શહેરો જ નહીં, પરંતુ વૈશ્વિક શહેરો પણ બનશે.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top