બેન્કમાં પૈસા જમા હોય તો ચિંતા ન કરતા, હવે પૈસા ડૂબવા પર બમણી ગેરન્ટી આપશે સરકાર! 5ની જગ્યાએ મળ

બેન્કમાં પૈસા જમા હોય તો ચિંતા ન કરતા, હવે પૈસા ડૂબવા પર બમણી ગેરન્ટી આપશે સરકાર! 5ની જગ્યાએ મળશે 10 લાખ

05/26/2025 Business

SidhiKhabar

SidhiKhabar

બેન્કમાં પૈસા જમા હોય તો ચિંતા ન કરતા, હવે પૈસા ડૂબવા પર બમણી ગેરન્ટી આપશે સરકાર! 5ની જગ્યાએ મળ

બેન્ક ખાતાઓમાં ગ્રાહકોની જમા રકમ પર વીમા મર્યાદા વધારવા પર સરકાર વિચારી રહી છે. હાલમાં, ડિપોઝિટરોને 5 લાખ રૂપિયા સુધીની રકમ પર વીમા સુરક્ષા મળે છે. આ મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરી શકાય છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, આગામી 6 મહિનામાં આ મર્યાદામાં વધારો થઈ શકે છે. નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે માહિતી આપી હતું કે સરકાર આ દિશામાં સક્રિયપણે કામ કરી રહી છે.

ડિપોઝિટ વીમો એ સુરક્ષા રકમ હોય છે જે બેન્કની નાદારીના કિસ્સામાં ડિપોઝિટરને મળે છે. ડિપોઝિટ ઇન્શ્યોરન્સ અને ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (DICGC)એ ભારતીય રિઝર્વ બેન્કની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. તે દેશની વાણિજ્યિક બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, સ્થાનિક બેન્કો અને સહકારી બેન્કોમાં ડિપોઝિટ વીમાનું સંચાલન કરે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં, નાણાકીય સેવાઓના સચિવ એમ. નાગરાજુએ કહ્યું હતું કે ડિપોઝિટ વીમો વધારવાનો પ્રસ્તાવ વિચારણા હેઠળ છે અને કેબિનેટ દ્વારા નિર્ણય લેવાયા બાદ નાણા મંત્રાલય તેને સૂચિત કરશે.


આ પાસાઓ પર થઈ રહ્યો છે વિચાર

આ પાસાઓ પર થઈ રહ્યો છે વિચાર

અધિકારીએ જણાવ્યું હતું કે નવી મર્યાદા નક્કી કરવા અગાઉ નાણાં મંત્રાલય અનેક મહત્ત્વપૂર્ણ પાસાઓ પર વિચાર કરી રહ્યું છે. તેમાં, એ જોવામાં આવી રહ્યું છે કે વીમા મર્યાદા વધારવાથી કેટલા ખાતાધારકોને ફાયદો થશે, કુલ જમા રકમમાંથી કેટલી રકમ આ કાર્યક્ષેત્રમાં આવશે અને સરકાર તેના માટે કેટલી ગેરન્ટી આપવાની સ્થિતિમાં છે. આ ઉપરાંત, અંતિમ નિર્ણય વર્તમાન આવક સ્તર અને વર્તમાન વીમાકૃત ડિપોઝિટ પર પણ આધાર રાખશે.

આ વિષય પર તાજેતરમાં જ પૂછવામાં આવેલા સવાલના જવાબમાં, RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે, આ સંદર્ભમાં હજુ સુધી કોઈ ઔપચારિક પ્રસ્તાવ નથી. વર્તમાન ડિપોઝિટ વીમાની મર્યાદા 5 લાખ રૂપિયા છે, જેને લગભગ 5 વર્ષ અગાઉ 1 લાખ રૂપિયાથી વધારવામાં આવી હતી. આજે, લગભગ 87 ટકા બેન્ક ખાતાધારકો આ મર્યાદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.


અગાઉ પણ ઘણી વખત વધી છે વીમાની મર્યાદા

અગાઉ પણ ઘણી વખત વધી છે વીમાની મર્યાદા

ભારતમાં ડિપોઝિટ વીમા યોજનાની શરૂઆત વર્ષ 1962માં થઈ હતી, જ્યારે પ્રતિ ડિપોઝિટર 1,500 રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ સમય-સમય પર વધારવામાં આવી. વર્ષ 1976માં 20000, વર્ષ 1980માં 30,000 અને વર્ષ 1993માં 1 લાખ રૂપિયા કરવામાં આવી હતી. બાદમાં, પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બેન્ક સંકટને કારણે ફેબ્રુઆરી 2020માં તેને વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top