BREKING: પેટાચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું
Shaktisinh Gohil Resigns: વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે અને આ ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારમો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને વિસાવદરમાં આ હાર વધુ નિરાશ કરનારી છે કેમ કે દેશની સૌથી જૂની પાર્ટીને માત્ર 5501 જ મત મળે એ માનવમાં ન આવે તેવી સ્થિતિ છે. જ્યારે કડીમાં પણ કોંગ્રેસના ઉમેદવારને 39452 મતથી હારનો સામનો કરવો પડ્યો છે. આ પરિણામ બાદ કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.
પરિણામ સારું ન આવી શકવાની નૈતિક જવાબદારી સ્વીકારતા શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે. જ્યાં સુધી નવા પ્રમુખના નામની જાહેરાત ન થાય ત્યાં સુધી દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે. તો તો વિસાવદરથી પેટાચૂંટણીમાં હારેલા ઉમેદવાર નીતિન રાણપરિયાએ પાર્ટીમાં મોટાફેરફાર થશે તેવું નિવેદન આપ્યું છે.
શક્તિસિંહે જણાવ્યું કે, વિસવાદરનું પરિણામ આઘાતજનક છે અને મારું નેતૃત્વ પરિણામ લાવી શક્યું નથી. 30 વર્ષથી સત્તા ન હોવા છતા અમારા કાર્યકરો મક્કમતાથી લડ્યા છે. પરિણામો નથી આવ્યા એની જવાબદારી સ્વીકારું છું અને અત્યારથી જ રાજીનામું આપી રહ્યો છું. મારું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું છે.
શક્તિસિંહે જણાવ્યું કે, 30 વર્ષથી સત્તા ન હોવા છતા અમારા કાર્યકરો મક્કમતાથી લડ્યા છે. પરિણામો નથી આવ્યા એની જવાબદારી સ્વીકારું છું અને અત્યારથી જ રાજીનામું આપી રહ્યો છું. મારું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું છે. આ સાથે જ તેમણે એક કાર્યકર્તા તરીકે પાર્ટીમાં કામ કરતા રહેવાની વાત શક્તિસિંહ ગોહિલે કરી છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસમાં મોરલ રિસ્પોન્સિબિલિટીની પરંપરા રહી છે. હું કોંગ્રેસનો સિપાહી તરીકે હંમેશાં કામ કરતો રહીશ. પાર્ટી કાર્યકર્તામાંથી નેતા બનાવતી હોય છે, હવે કાર્યકર્તા તરીકે પણ કામ કરતો રહીશ. મેં બેવડા ધોરણો સાથે રાજનીતિ કરી નથી. બેમાંથી એક સીટ પણ મળી હોત તોપણ સારું લાગત.'
શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂકને લઈને કહ્યું કે, જિલ્લા કક્ષાએ તમામ કાર્યકરોની વાત સાંભળી હતી. AICCએ તમામ સારા ઉમેદવારને સાંભળ્યા છે. ત્યારબાદ જિલ્લા પ્રમુખોના નામ પર મહોર મારવામાં આવી. ગુજરાતના કાર્યકરોને નવું બળ અને જોશ મળ્યા છે. પક્ષ કે પરિવારમાં નિર્ણયો સમયે અમુક લોકોને સમસ્યા હોય શકે છે. 3 મહિને જિલ્લા પ્રમુખોની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદ કાર્યકરોને ફરી પૂછવામાં આવશે. પૂર્વ અને નવા બનેલા જિલ્લા પ્રમુખોને શુભેછાઓ પાઠવું છું. શક્તિસિંહ ગોહિલને અનુરૂપ હોય એવા જિલ્લા પ્રમુખો નહીં પણ પાર્ટીને અનુરૂપ હોય એવા પ્રમુખો આવ્યા છે. ભાવનગરમાં પણ જે નામ આવ્યા તે પણ કાર્યકરોની સર્વસહમતિથી આવ્યા હતા.'
તેમણે કહ્યું કે મેં મારી જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં મોરલ રિસ્પોન્સિબિલિટીની પરંપરા રહી છે. હું કોંગ્રેસનો સિપાહી તરીકે હંમેશા કામ કરતો રહીશ. પાર્ટી કાર્યકર્તામાંથી નેતા બનાવતી હોય છે, હવે કાર્યકર્તા તરીકે પણ કામ કરતો રહીશ. મેં બેવડાધોરણો સાથે રાજનીતિ કરી નથી. બેમાંથી એક સીટ પણ મળી હોત તો પણ સારું લાગત.'
શક્તિસિંહ ગોહિલે રાજીનામાં બાદ કહ્યું કે, ‘હું કોંગ્રેસ પાર્ટીનો સિપાહી છું, આજે કડી અને વિસાવદરમાં અમને સફળતા નથી મળી. મને સતત મદદ કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, રાહુલ ગાંધી, વેણુગોપાલ અને મુકુલ વાસનીકનો આભાર વ્યક્ત કરું છું. રાજીવજી અને સોનિયાજીએ આપેલું માર્ગદર્શન મારા માટે સૌથી મોટા આશીર્વાદ છે. પેટાચૂંટણીમાં પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારી મેં ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. હું હંમેશા કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરતો રહીશ.'
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp