અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં મૃતકોની સંખ્યા વધી, પૂર્વ CM પણ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં હતા સવાર
Air India Plane Crash: અમદાવાદમા આજે અત્યંત દુઃખદ ઘટના ઘટી છે, અમદાવાદથી લંડન જતું વિમાન દુર્ઘટનાનો શિકાર થઈ ગયું. દુર્ઘટના ખૂબ જ ગંભીર હતી. વિમાને એરપોર્ટ પરથી ટેકઓફ થતા જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. દુર્ઘટના બાદ એ વિસ્તારમાં થઈ ત્યાં ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા. વિમાન દુર્ઘટના બાદ પૂરે પૂરું નષ્ટ થઈ ગયું છે. મૃતકોની સંખ્યા પણ સતત વધી રહી છે. સૂત્રો તરફથી મળતી મુજબ 179 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા આ આંકડો હજી પણ વધી શકે છે.
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ થયા બાદ તરત જ ક્રેશ થયું હતું. આ વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત 242 લોકો સવાર હતા. અકસ્માત બાદ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલી રાહત અને બચાવ ટીમે બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા.
વિમાન દુર્ઘટના બાદ આ ફ્લાઇટમાં મુસાફરોની યાદી પણ સામે આવી છે. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા વિમાન (ફ્લાઇટ નંબર AI 171)માં કુલ 230 મુસાફરો સવાર હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ આ ફ્લાઇટમાં મુસાફરોની યાદીમાં છે. વિજય રૂપાણીનું નામ મુસાફરોની યાદીમાં 12મા ક્રમે છે અને તેમનો સીટ નંબર 2D છે. વિજય રૂપાણી લંડન જઈ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ વિમાન અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી બપોરે 1:38 વાગ્યે લંડન માટે ઉડાણ ભરી હતી. આ વિમાન એરપોર્ટની સીમા પણ પાર કરી શક્યું નહોતું. એર ઈન્ડિયાનું આ વિમાન બપોરે 1:40 વાગ્યે ક્રેશ થયું હતું અને અમદાવાદનું આકાશ ધુમાડામાં છવાઈ ગયું હતું. એર ઈન્ડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે, તેમાં કહેવામા આવી રહ્યું છે કે 169 ભારતીય નાગરિક, 53 બ્રિટિશ નાગરિક, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિક વિમાનમાં સવાર હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp