ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસના નેતાઓએ ટિકિટનું વેચાણ કરેલું? કોંગ્રેસને ખતમ કરવાનું

ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસના નેતાઓએ ટિકિટનું વેચાણ કરેલું? કોંગ્રેસને ખતમ કરવાનું ષડયંત્ર?

06/07/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસના નેતાઓએ ટિકિટનું વેચાણ કરેલું? કોંગ્રેસને ખતમ કરવાનું

વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની હારને લઈ એક મીડિયા હાઉસે બહુ મોટો ખુલાસો કર્યો હતો. ગત વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને ગુજરાતમાં કારમી હાર મળી હતી. આ પછી પક્ષે હારના કારણો ચકાસવા માટે ફેકટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરી હતી. અહેવાલો મુજબ, પ્રદેશ કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટ વેચી હોવાનો ફેકટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો હતો.


ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ કરવા માટેનું ષડયંત્ર?!

ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ કરવા માટેનું ષડયંત્ર?!

ગુજરાત વિધાનસભાની 2022માં યોજાયેલી ચૂંટણીમાં કોગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસના હાઈકમાન્ડે હારના કારણો જાણવા 4 જાન્યુઆરી,2023ના રોજ ફેકટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરી હતી. જે અંગેનો લેટર પક્ષના આધિકારિક ટ્વીટર હેન્ડલ ઉપર પણ શેર કરવામાં આવ્યો હતો. હવે હાલમાં આવેલ મીડિયા રિપોર્ટ્સ મુજબ આ કમિટીએ તૈયાર કરેલો રિપોર્ટ કોંગ્રેસ માટે આઘાતજનક છે. એબીપી લાઈવના ગુજરાતી પોર્ટલ પર પ્રકાશિત થયેલા ન્યૂઝ મુજબ કમિટીએ પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની થયેલી હાર એ માત્ર હાર નથી પરંતુ ગુજરાતમાં કોંગ્રેસને ખતમ કરવાનું ષડયંત્ર છે. દિલ્હીથી નક્કી થયેલા ઉમેદવારો પૈકીના 35 ઉમેદવારો ગુજરાતના નેતાઓએ બદલ્યા હતા અને આ 35 ઉમેદવારો પાસેથી રૂપિયા લઇને ટિકિટ આપી હોવાનો ઉલ્લેખ પણ કોંગ્રેસની ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ સોંપેલા રિપોર્ટમાં છે. આ ઉપરાંત રિપોર્ટની અંદર અનેક ચોકાવનારી બાબતોનો ઉલ્લેખ છે.


પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે આવો જ આરોપ લગાવ્યો હતો!

પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે આવો જ આરોપ લગાવ્યો હતો!

વિધાનસભા ચૂંટણી મળેલી કારમી હારના કારણો જાણવા માટે કોગ્રેસના હાઇકમાન્ડે 4 જાન્યુઆરી 2023ના રોજ 3 સભ્યોની ફેકટ ફાઈન્ડિંગ કમિટી બનાવી હતી. જેમાં નીતિન રાઉત કમિટીના ચેરમેન હતા. શકીલ અહેમદ ખાન અને સપ્તગીરી શંકર ઉલકા સમિતિના સભ્ય હતા. આ તમામે ગુજરાતના તમામ ઝોનમાં ફરીને કારણો જાણ્યા હતા અને કમિટીની ભલામણ સાથેનો રિપોર્ટ કોંગ્રેસ હાઈ કમાંડને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, કેટલાક લોકો દ્વારા ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ કરવા માટેનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને તેના જ કારણે આટલું ખરાબ પરિણામ ગુજરાતમાં કોંગ્રેસને મળ્યું છે.

ઉપરાંત આર્થિક વ્યવહાર કરીને ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હોવાનો ફેકટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બાબત અંગે જો ભૂતકાળમાં જોઈએ તો ચૂંટણી સમયે રૂપિયા લઇને ટિકિટો આપવામાં આવી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર પર પણ આવો જ આરોપ લગાવ્યો હતો. ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ પણ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને સોંપેલા રિપોર્ટમાં આર્થિક વ્યવહાર અને ટિકિટોની ફાળવણી અંગેનો ઉલ્લેખ કર્યો છે.


35 ઉમેદવાર પાસેથી રૂપિયા લઇને ટિકિટો આપી હોવાનો રિપોર્ટમાં ખુલાસો?!

પ્રદેશ કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 ઉમેદવાર પાસેથી રૂપિયા લઇને ટિકિટો આપી હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો હતો. એટલું જ નહીં, પણ દિલ્હીથી નક્કી થયેલા ઉમેદવારોને ય પ્રદેશના કેટલાક નેતાઓએ બદલી નાખ્યા હતા! આ બધું થયા પછી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસ માત્ર 17 બેઠક પર સમેટાઈ ગઈ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top