Gujarat: ગૃહમંત્રી હર્ષ સંઘવીનો કડક આદેશ, આ શહેરમાં થૂંકનારા સામે નોંધાશે FIR
Harsh Sanghvi: સુરતમાં પોલીસે જાહેર સ્થળોએ થૂંકનારાઓ સામે મોટી કાર્યવાહી કરવાની પહેલ કરી છે. હવે સુરત શહેરમાં જાહેર માર્ગો પર થૂંકનારાઓ સામે પોલીસ FIR નોંધાશે. ગુજરાતમાં જાહેર થૂંકનારાઓની સરળ વ્યાખ્યા પાન-મસાલા ખાનારા છે. ગુજરાતમાં, જ્યાં મેડિકલ સ્ટોર્સ પણ રાત્રે ખુલતા નથી, ત્યાં પાન-ગલ્લા મોડી રાત અથવા ક્યારેક વહેલી સવાર સુધી ખુલ્લા રહે છે. આ ઉપરાંત ગુજરાતમાં સ્વચ્છતાના નાટકો ભજવાય છે, પરંતુ પાન પિચકારીનો અંત લાવવા સરકાર દ્વારા કોઈ જાહેર સુવિધા ઉભી કરવામાં આવી નથી.
સુરતમાં મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવેથી જાહેર રસ્તા પર થૂંકનારાઓ સામે પોલીસ FIR નોંધશે. પરંતુ પાન-મસાલાનું પ્રદૂષણ અટકતું જ નથી. યુવાનોમાં આ લત વધતી જઇ રહી છે. ખાઇશું તો થૂંકીશું, પણ ક્યાં થૂંકશો એ કહેવામાં આવ્યું નથી.
સુરત પોલીસે વર્ષ 2025થી કડકાઈ અપનાવવાનું નક્કી કર્યું છે. ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. જો તમે આમ નહીં કરો તો તમારે પોલીસ કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે હવેથી સુરતમાં જાહેર રસ્તા પર થૂંકનારાઓ સામે પોલીસ FIR નોંધશે. શહેર પોલીસ પાલિકા સાથે સંકલન કરશે. CCTV કેમેરાની મદદથી પોલીસ ગંદકી ફેલાવનારાઓને શોધીને FIR નોંધશે.
આ ઉપરાંત સુરત શહેર પોલીસ પણ 45 દિવસ બાદ હેલ્મેટના નિયમનો કડક અમલ કરાવશે. ડ્રાઇવરોને 45 દિવસ સુધી હેલમેટ પહેરવાનું કહેવામાં આવશે. શાળા-કૉલેજો સહિતની સંસ્થાઓમાં હેલમેટ અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. ત્યારબાદ હેલ્મેટ નહીં પહેરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક સિગ્નલ તોડનારાઓ સામે પોલીસમાં FIR પણ દાખલ કરવામાં આવશે. રેડ સિગ્નલ બાદ પણ સિગ્નલ તોડનારા વાહનચાલકો સામે ગુનો નોંધવામાં આવશે.
સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે આ માહિતી આપી છે. સુરત પોલીસે વર્ષ 2025નો રોડમેપ તૈયાર કર્યો છે. ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે પણ પ્રયાસો કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp