સોનામાં રોકાણ કરવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર

સોનામાં રોકાણ કરવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર

06/17/2022 Business

SidhiKhabar

SidhiKhabar

સોનામાં રોકાણ કરવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર

વૈશ્વિક પરિસ્થિતીઓને જોતા મહિનાની શરૂઆતથી જ સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price) ઘટાડો નોંધાઇ રહ્યો છે. લોકો હાલ સોના-ચાંદીની ધૂમ ખરીદી કરી રહ્યા છે અને આની પાછળ લગ્નની સિઝન જવાબદાર હોય શકે છે. જો તમે સોના-ચાંદીમાં રોકાણ (Invest in gold-silver) કરવા માંગો છો તો તમારા માટે આ સમાચાર મહત્વના છે. આજે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં 22 કેરેટ સોનાનો ભાવ 48,130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 50,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.


સોનાના ભાવમાં હાલ કોઇ વધારો નહીં :

ભોપાલના બુલિયન માર્કેટમાં ગઈ કાલે 22 કેરેટ સોનું રૂ. 48,130 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાયું હતું, જ્યારે 24 કેરેટ સોનું ગઈ કાલે રૂ. 50,540 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાયું હતું, આજના દિવસ માટે પણ સમાન કિંમત રહેશે. એટલે કે ભાવમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી.


ચાંદીના ભાવ સ્થિર :

છેલ્લા બે દિવસથી ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. એટલે કે, જે ચાંદી ભોપાલના બુલિયન માર્કેટમાં ગુરુવારે 66,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી, આજે પણ તે જ ભાવે વેચાશે.


જાણો 22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત :

24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે, અમે તમને જણાવી દઈએ કે 24 કેરેટ સોનાની જ્વેલરી બનાવી શકાતી નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top