BREAKING NEWS : કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ભારતે જાહેર કરી એડવાઇઝરી : કહ્યું 'ખૂબ સાચવીને

BREAKING NEWS : કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ભારતે જાહેર કરી એડવાઇઝરી : કહ્યું 'ખૂબ સાચવીને રહો... ', જાણો વિગતવાર

09/20/2023 National

SidhiKhabar

SidhiKhabar

BREAKING NEWS : કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ભારતે જાહેર કરી એડવાઇઝરી : કહ્યું 'ખૂબ સાચવીને

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ કેનેડામાં રહેતા ભારતીયોનું ટેન્શન વધી ગયું છે. આ દરમિયાન બુધવારે (20 સપ્ટેમ્બર) વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે.


ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને વિનંતી

આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ત્યાં વધી રહેલી ભારત વિરોધી ગતિવિધિઓ અને ગુનાહિત હિંસાને ધ્યાનમાં રાખીને અત્યંત સાવધાની રાખવા વિનંતી કરવામાં આવે છે. સાથે જ જેઓ કેનેડાના પ્રવાસે જવાના છે તેઓએ પણ સાવચેતી રાખવી જોઈએ. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કેનેડામાં એવા વિસ્તારો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે જ્યાં આવી ઘટનાઓ જોવા મળી હોય. એડવાઈઝરીમાં દાવો કરવામાં આવ્યો છે કે કેનેડામાં ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરનારા ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયના વર્ગોને ચાલુ વિવાદ વચ્ચે ધમકીઓ મળવાની સંભાવના છે. "કેનેડામાં બગડતા સુરક્ષા વાતાવરણ"ને ટાંકીને સલાહકારે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓને "અત્યંત સાવધાની રાખવા અને જાગ્રત રહેવા" સૂચવ્યું છે.



શું છે સમગ્ર મામલો

શું છે સમગ્ર મામલો

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદની અંદર કહ્યું કે, કેનેડિયન નાગરિકની પોતાની ધરતી પર હત્યામાં કોઈપણ વિદેશી સરકારની સંડોવણી સહન કરવામાં આવશે નહીં. આ આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે, જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આ પછી કેનેડાએ ભારતના ટોચના રાજદ્વારીને હાંકી કાઢ્યા અને તેમને દેશ છોડવાનો આદેશ આપ્યો. ભારત સરકારે કેનેડાના આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. આના થોડા સમય બાદ ભારતે કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને પણ હાંકી કાઢ્યા હતા અને તેમને પાંચ દિવસમાં ભારત છોડવા કહ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top