Iran-Israel Conflcit: ‘ઇઝરાયલ પર પ્રેશર બનાવે ભારત..’, ઈરાનની હિંદુસ્તાનને અપીલ, પાકિસ્તાન પર કહી આ વાત
Iran-Israel Conflcit: ભારતમાં ઈરાનના નાયબ રાજદૂત મોહમ્મદ જાવદ હુસૈનીએ ઈઝરાયલ સામે કડક વલણ અપનાવ્યું છે અને ભારતને અપીલ કરી છે કે ઈઝરાયલની ખુલ્લેઆમ નિંદા કરવા અને તેના પર પ્રેશર બનાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે ભારત જેવા મોટા અને શાંતિપ્રિય દેશ, જે વૈશ્વિક દક્ષિણનો અવાજ છે, તેણે ઈઝરાયલની નિંદાઓ કરીને અગ્રણી ભૂમિકા ભજવવી જોઈએ. મોહમ્મદ જાવેદ હુસૈનીએ કહ્યું કે જો ઓક્ટોબરમાં હમાસ સામે કરવામાં આવેલા હુમલા દરમિયાન ઈઝરાયલની વૈશ્વિક સ્તરે નિંદા કરવામાં આવી હોત, તો તે ઈરાન જેવા સંપ્રભુ દેશ પર હુમલો કરવાની હિંમત ક્યારેય ન કરતો.
હુસૈનીએ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ની નિષ્પક્ષતા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે IAEAએ પોતે કહ્યું હતું કે ઈરાન તરફથી કોઈ લશ્કરી પરમાણુ ગતિવિધિ ચાલી રહી નથી. છતા તેમણે ઈઝરાયલનો પક્ષ લેતા ઈરાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીને સમર્થન આપ્યું. તેનાથી IAEAની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા છે.
હુસૈનીએ સ્પષ્ટપણે કહ્યું કે, ઈરાનની રક્ષા નીતિમાં પરમાણુ હથિયારોનું કોઈ સ્થાન નથી અને દેશને પોતાની સુરક્ષા માટે તેની જરૂર નથી. પરમાણુ હથિયારો અમારી રક્ષા નીતિનો હિસ્સો નથી. અમે પોતાની રક્ષા પોતે કરી શકીએ છીએ, અમને પરમાણુ હથિયારોની જરૂર નથી. ઈરાન હથિયારો માટે યુરેનિયમ સંવર્ધિત રહ્યું છે તેવા જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે સંપૂર્ણપણે ખોટા છે. આ આરોપો વાસ્તવમાં બીજા એજન્ડાને પ્રાપ્ત કરવાનો પ્રયાસ છે. હવે આ લોકો ખુલ્લેઆમ શાસન પરિવર્તનની વાત કરી રહ્યા છે, એવું લાગે છે કે આ જ તેમનો વાસ્તવિક હેતુ છે.
એક પત્રકારે સવાલ કર્ય કે શું પાકિસ્તાની આર્મી ચીફની અમેરિકા મુલાકાત બાદ અમેરિકા પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરશે? તેના પર હુસૈનીએ આશા વ્યક્ત કરી કે પાકિસ્તાન આવા કોઈપણ પગલામાં સામેલ નહીં થાય અને ઇઝરાયલી હુમલાઓ સામે ઈરાનને સમર્થન આપશે. હુસૈનીએ કહ્યું કે અમારી પાસે કેટલીક એવી ક્ષમતાઓ છે જે અત્યાર સુધી સામે આવી નથી. અમે તેમને ભવિષ્ય માટે સાચવી રાખ્યા છે. એટલે સારું હશે કે કોઈ આ વિસ્તારને જોખમમાં નાખવાનો પ્રયાસ ન કરે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp