મૃત સમજીને કરી દેવાયા હતા અંતિમ સંસ્કાર, એક વર્ષ બાદ ઘરે ફર્યો તો પરિવારજનોએ ફરી એ જ મહિલા સાથે

મૃત સમજીને કરી દેવાયા હતા અંતિમ સંસ્કાર, એક વર્ષ બાદ ઘરે ફર્યો તો પરિવારજનોએ ફરી એ જ મહિલા સાથે કરાવ્યા લગ્ન

12/02/2023 National

SidhiKhabar

SidhiKhabar

મૃત સમજીને કરી દેવાયા હતા અંતિમ સંસ્કાર, એક વર્ષ બાદ ઘરે ફર્યો તો પરિવારજનોએ ફરી એ જ મહિલા સાથે

ઉત્તરાખંડથી એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. એક મૃત વ્યક્તિ ફરી જીવતો થઈ ગયો. એક વર્ષ અગાઉ ગુમ થયેલો વ્યક્તિ, જેના અંતિમ સંસ્કાર પણ થઈ ચૂક્યા હતા. તે પાછો પોતાના ગામમાં આવતો રહ્યો. ખટીમાનો રહેવાસી નવીન ચંદ્ર ભટ્ટ (42) એક વર્ષ કરતા વધુ સમયથી ગુમ હતો. નવીનના પરિવારજનોએ એક લવારીશ શબને, તેનું શબ સમજીને 25 નવેમ્બરે અંતિમ સંસ્કાર પણ કરી દીધા, પરંતુ ત્યારબાદ અચાનક નવીન પાછો આવી ગયો.


નામ બદલીને બીજી વાર લગ્ન કરાવ્યા

અંતિમ સંસ્કાર બાદ જ્યારે નવીન જીવતો મળ્યો ત્યારે તેના પરિવારજનોએ નામ બદલીને તેના બીજા લગ્ન કરાવી દીધા, નવીનની પત્નીથી બે બાળકો છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, નવીનના પરિવારજનોએ તેને પરત આવવાને પુનર્જન્મ માન્યો. સ્થાનિક માન્યતાઓ મુજબ ઘરના લોકો એ બધુ કર્યું જે જન્મ બાદ બાળક સાથે થાય છે. નવીનના પરિવારજનોએ તેનું નવું નામ રાખ્યું, જનોઈ સંસ્કાર કર્યા અને ફરી તેની પત્ની સાથે લગ્ન પણ કરાવ્યા. નવીનના ગામના રહેવાસી એક વ્યક્તિએ જણાવ્યું કે તેનો અંતિમ સંસ્કાર કરી દીધો હતો. એવામાં તે જીવતો મળી આવ્યા બાદ ગામના વૃદ્ધો અને પૂજારીઓએ એ નક્કી કર્યું કે જન્મથી લગ્ન સુધીના તેના બધા સંસ્કાર ફરીથી કરાવવામાં આવશે.


પુનર્જન્મ માનીને ફરીથી બધા પવિત્ર અનુષ્ઠાન કરાવવામાં આવી રહ્યા છે

પુનર્જન્મ માનીને ફરીથી બધા પવિત્ર અનુષ્ઠાન કરાવવામાં આવી રહ્યા છે

નવીનના ફરી લગ્ન કરાવનારા પૂજારીએ જણાવ્યું કે, તેના એક વખત અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા છે. એવામાં તે પાછો આવવાને પુનર્જન્મ માનીને ફરીથી બધા પવિત્ર અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે. હવે તેનું નામ નવીન ચંદ્ર ભટ્ટથી બદલીને નારાયણ ભટ્ટ કરી દેવામાં આવ્યું છે. આ નામ માત્ર ધાર્મિક કાર્યો માટે ઉપયોગ થશે. ઉલ્લેખનીય છે કે નવીન પહેલાથી જ પરિણીત હતો. તેના બે બાળકો પણ છે. અંતિમ સંસ્કાર બાદ જ્યારે તે પાછો પોતાના ગામમાં ફર્યો તો ઘરના લોકોએ ફરી તેના લગ્ન એ જ મહિલા સાથે કરાવ્યા. ગામના પૂર્વ સરપંચ રમેશ મહારે એક અંગ્રેજી અખબાર સાથે વાતચીત કરતા કહ્યું કે, નવીન જીવિત હોવાનું જાણવા મળ્યું તો વૃદ્ધો અને પૂજારીઓએ સર્વસંમતિથી નિર્ણય લીધો કે માન્યતા મુજબ જન્મથી લઈને લગ્ન સુધી બધા સંસ્કાર, શુદ્ધિકરણ માટે ફરીથી કરવા જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top