અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એર ઈન્ડિયાના ત્રીજા વિમાનમાં આવી ટેક્નિકલ ખામી
સેન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરોને કોલકાતા એરપોર્ટ પરથી ઉતારવા પડ્યા. આ ઘટના મંગળવારે વહેલી સવારે બની, જ્યારે ફ્લાઈટ તેના નિર્ધારિત સમયે બપોરે 12:45 વાગ્યે કોલકાતા એરપોર્ટ પર ઉતરી.
એર ઈન્ડિયાની ફ્લાઈટ AI180ના ડાબા એન્જિનમાં ટેક્નિકલ ખામી જોવા મળી હતી, જેના કારણે પ્લેનના ટેકઓફમાં વિલંબ થઈ ગયો. સવારે લગભગ 5:20 વાગ્યે પ્લેનની અંદર એક જાહેરાત કરવામાં આવી હતી અને તમામ મુસાફરોને પ્લેનમાંથી ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. ફ્લાઈટ સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ફ્લાઈટના કેપ્ટને મુસાફરોને જણાવ્યું હતું કે, ફ્લાઈટ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં, પ્લેનની ટેક્નિકલ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ બાદ, તાજેતરના દિવસોમાં એર ઈન્ડિયાના ઘણા પ્લેનમાં ટેક્નિકલ ખામીઓ નોંધાઈ છે. પહેલા હોંગકોંગથી ભારત આવતી ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા તેને પાછું ફરવું પડ્યું હતું, જ્યારે ગઈ કાલે દિલ્હીથી રાંચી જતી ફ્લાઇટમાં પણ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.
અમદાવાદમા થયેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલી ટીમને કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) એટલે કે બ્લેક બોક્સ મળી આવ્યું છે. અધિકારીઓએ રવિવારે આ વાતની પુષ્ટિ કરી હતી. આ શોધ આ ભયાનક અકસ્માતના કારણો જાણવામાં નિર્ણાયક સાબિત થશે, જેમાં અત્યાર સુધીમાં 270 લોકોના મોત થયા છે. મૃતકોમાં વિમાનમાં સવાર 241 મુસાફરો અને ક્રૂ સભ્યો તેમજ જમીન પર રહેલા 29 લોકોનો સમાવેશ થાય છે. માહિતી અનુસાર, AAIBએ આ અકસ્માતની વિગતવાર તપાસ શરૂ કરી દીધી છે. સાથે જ વિમાન અમેરિકન બનાવટનું હોવાથી, અમેરિકન નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) પણ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ હેઠળ સમાંતર તપાસ કરી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp