જાતિગત વસ્તીગણતરી અંગે ગૃહમંત્રાલયનું જાહેરનામું બહાર પડી ગયું. ફરી એક વાર રાજનીતિ ગરમાશે?

National Census 2027: જાતિગત વસ્તીગણતરી અંગે ગૃહમંત્રાલયનું જાહેરનામું બહાર પડી ગયું. ફરી એક વાર રાજનીતિ ગરમાશે?

06/17/2025 National

SidhiKhabar

SidhiKhabar

જાતિગત વસ્તીગણતરી અંગે ગૃહમંત્રાલયનું જાહેરનામું બહાર પડી ગયું. ફરી એક વાર રાજનીતિ ગરમાશે?

National Census 2027: છેલ્લા કેટલાય સમયથી વસ્તી ગણતરીના મુદ્દાને લઈને રાજનીતિ ગરમાઈ હતી અને પક્ષ વિપક્ષ વચ્ચે ચડસાચડસી પણ થઇ રહી હતી. હવે વસ્તી ગણતરી માટે જોવાઈ રહેલી લાંબી રાહનો આખરે અંત આવશે. આ સમાચાર એવા લોકો માટે મહત્વપૂર્ણ છે જેઓ લાંબા સમયથી વસ્તી ગણતરીની રાહ જોઈ રહ્યા છે. વસ્તી ગણતરી દરમિયાન ડેટા સંગ્રહ અને તેને પ્રસ્તુત કરવાના સમયે કડક ડેટા સુરક્ષા જોગવાઈઓ રાખવામાં આવશે. આગામી વસ્તી ગણતરી 16મી રાષ્ટ્રીય વસ્તી ગણતરી અને ભારતની સ્વતંત્રતા પછીની આઠમી રાષ્ટ્રીય વસ્તી ગણતરી હશે.


ગૃહમંત્રાલયના જાહેરનામામાં શું છે?

ગૃહમંત્રાલયના જાહેરનામામાં શું છે?

ગૃહમંત્રાલયના જાહેરનામામાં શું છે?

સોમવારે, ગૃહ મંત્રાલયે વસ્તી ગણતરી અધિનિયમ, 1948 હેઠળ વસ્તી ગણતરી અને જાતિ આધારિત વસ્તી ગણતરી સંબંધિત સત્તાવાર જાહેરનામું (ગેઝેટ) બહાર પાડ્યું છે. ગેઝેટમાં આપેલ સૂચના અનુસાર, આ વસ્તી ગણતરી વર્ષ 2027માં કરાશે. આ સૂચના વસ્તી ગણતરી પ્રક્રિયાની શરૂઆત દર્શાવે છે. જેનો હેતુ વસ્તી આધારિત સચોટ ડેટા એકત્રિત કરવાનો છે.

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં જણાવાયું છે કે, વસ્તી ગણતરી માટે સંદર્ભ તારીખ 1 માર્ચ 2027 રહેશે. દેશના મોટાભાગના રાજ્યોમાં, 1 માર્ચ 2027 ની મધ્યરાત્રિની તારીખ વસ્તી ગણતરી માટે આધાર તરીકે ગણવામાં આવશે. પરંતુ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડના જેવા ઠંડા અને બરફીલા વિસ્તારોમાં 1 ઓક્ટોબર 2026ની તારીખ નક્કી કરવામાં આવી છે. આ પ્રદેશોમાં ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વસ્તી ગણતરીની સમગ્ર પ્રક્રિયા 1 માર્ચ, 2027 સુધીમાં પૂર્ણ થશે. વસ્તી ગણતરીનો પ્રાથમિક ડેટા માર્ચ 2027 માં જ જાહેર કરવામાં આવશે. જોકે, વિગતવાર ડેટા જાહેર કરવા માટે વર્ષના અંત સુધી રાહ જોવી પડશે. વસ્તી ગણતરીની સમગ્ર પ્રક્રિયા લગભગ 21 મહિનામાં પૂર્ણ થશે. ૧ માર્ચ, ૨૦૨૭ ની મધ્યરાત્રિ સુધી દેશની વસ્તી અને સામાજિક સ્થિતિનો જે પણ ડેટા હશે તે રેકોર્ડમાં નોંધવામાં આવશે. વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે.


૧૬મી વસ્તી ગણતરી ૧ ઓક્ટોબર ૨૦૨૬ થી બે તબક્કામાં યોજાશે. પહેલો તબક્કો હાઉસ લિસ્ટિંગ ઓપરેશનનો (HLO - House listing Operation) છે, જેમાં દરેક ઘરની રહેઠાણની સ્થિતિ, સંપત્તિ અને સુવિધાઓ એકત્રિત કરવામાં આવશે. ત્યારબાદ, બીજા તબક્કામાં, વસ્તી ગણતરીમાં (PE - Population Enumeration) ઘરના દરેક વ્યક્તિની વસ્તી વિષયક, સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય વિગતો એકત્રિત કરવામાં આવશે.

આ વસ્તી ગણતરીમાં, જાતિ ગણતરી પણ કરવામાં આવશે. વસ્તી ગણતરી પ્રવૃત્તિઓ માટે, લગભગ 34 લાખ ગણતરીકારો અને સુપરવાઇઝર તેમજ લગભગ 1.3 લાખ વસ્તી ગણતરી કાર્યકર્તાઓને તૈનાત કરવામાં આવશે. આગામી વસ્તી ગણતરી મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડિજિટલ માધ્યમો દ્વારા હાથ ધરવામાં આવશે. લોકોને સ્વ-ગણતરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top