અમદાવાદ પ્લેન ક્રેશ: એ છેલ્લો કોલ કોનો હતો? ફલાઇટમાં બેઠા પછી પૂર્વ મુ.મંત્રી વિજય રૂપાણીએ છેલ્

અમદાવાદ પ્લેન ક્રેશ: એ છેલ્લો કોલ કોનો હતો? ફલાઇટમાં બેઠા પછી પૂર્વ મુ.મંત્રી વિજય રૂપાણીએ છેલ્લે કોની સાથે વાત કરેલી

06/17/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અમદાવાદ પ્લેન ક્રેશ: એ છેલ્લો કોલ કોનો હતો? ફલાઇટમાં બેઠા પછી પૂર્વ મુ.મંત્રી વિજય રૂપાણીએ છેલ્

વિજય રૂપાણીના અણધાર્યા નિધનથી સમગ્ર ગુજરાતમાં શોકનું વાતાવરણ છવાયેલું છે. રાજકોટમાં તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન અને અંતિમ સંસ્કારમાં અસંખ્ય લોકો ઉમટી પડ્યા હતાં. તેમના મૃત્યુથી ગુજરાતના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે. વિજય રૂપાણી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના બીજા મુખ્યમંત્રી છે. એમએસપી, અટલ સરોવર, નવા એરપોર્ટ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવા પ્રોજેક્ટ્સને વિજય રૂપાણીનું રાજકોટને યોગદાન છે.


વિજય રૂપાણીએ ઓગસ્ટ 2016 થી સપ્ટેમ્બર 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ઓગસ્ટ 2016 માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અચાનક રાજીનામા બાદ રૂપાણીએ મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. તેમણે 2021 માં પદ છોડ્યું હતું, જેનાથી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે કાર્યભર સંભાળવાનો માર્ગ મોકળો થયો હતો.  


વિજય રુપાણીએ પ્લેનમાંથી કોની સાથે કરી હતી વિડીઓ કોલ પર વાત?

વિજય રુપાણીએ પ્લેનમાંથી કોની સાથે કરી હતી વિડીઓ કોલ પર વાત?

મુખ્યમંત્રી બન્યા પછી પણ વિજય રુપાણીએ તેમના મિત્રો સાથે ઘનિષ્ઠતા અકબંધ રાખી હતી. રૂપાણી હંમેશા રાજકોટના વિકાસ માટે વધુ કાર્યો કરવા માંગતા હતા. તેમના નજીકના એક મિત્ર મહેશભાઈએ રાજકોટના વિકાસ માટે રુપાણીએ કરેલ કામોની પ્રશંસા કરી. મહેશભાઈ એ છેલ્લા વ્યક્તિ હતાં જેની સાથે સ્વર્ગીય માજી મુખ્યમંત્રી વિજય રુપાણીએ વાત કરી હતી. મહેશભાઈએ રૂપાણી સાથે થયેલ તેમની છેલ્લી વાતચીત વાગોળી હતી. ફ્લાઈટ દરમિયાન રૂપાણી સાથે તેમની વિડીઓ કોલ પર ટૂંકી વાતચીત થઇ હતી. ગાઢ મિત્રને ગુમાવ્યાના દુ:ખને શબ્દોમાં વ્યક્ત કરવાં માટે મહેશભાઈ અસમર્થતા હોવી સ્વાભાવિક છે.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top