Jaipur Nirbhaya Kaand: જયપુરમાં નિર્ભયા કાંડ, મહિલાનું અપહરણ કરી બસ ચાલકે દારૂ પીવડાવી દુષ્કર્મ

Jaipur Nirbhaya Kaand: જયપુરમાં નિર્ભયા કાંડ, મહિલાનું અપહરણ કરી બસ ચાલકે દારૂ પીવડાવી દુષ્કર્મ આચરી રોડ પર ફેંકી દીધી

11/19/2023 National

SidhiKhabar

SidhiKhabar

Jaipur Nirbhaya Kaand: જયપુરમાં નિર્ભયા કાંડ, મહિલાનું અપહરણ કરી બસ ચાલકે દારૂ પીવડાવી દુષ્કર્મ

Jaipur Nirbhaya Kaand: થોડા વર્ષો પહેલા દિલ્હીની એક બસમાં મુસાફરી કરી રહેલી ફીઝીયોથેરાપીની છાત્રા ઉપર બસ ચાલક સહિતના સાથીદારોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. એટલું જ નહિ પણ પીડિતાને પર પાશવી શારીરિક અત્યાચારો ગુજારીને ઈજાગ્રસ્ત તેમજ નિર્વસ્ત્ર હાલતમાં રોડ પર ફેંકી દીધી હતી. બાદમાં પોતાની ઈજાઓને કારણે એ કમભાગી યુવતી મૃત્યુ પામી હતી. આ ઘટના ‘નિર્ભયા કાંડ’ તરીકે જાણીતી છે. હાલમાં રાજસ્થાનના જયપુર ખાતે આવી જ એક ઘટના બનવા પામી છે, જેણે લોકોમાં મનમાં નિર્ભયા કાંડની યાદ તાજી કરાવી દીધી છે.


જયપુરમાં થયો ‘નિર્ભયાકાંડ’!

રાજસ્થાનમાં (Rajasthan Crime News) ચૂંટણીની વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જયપુરમાં ફરી નિર્ભયા કાંડ જેવી ઘટના બની હતી. આ ઘટના હરમડા પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારની છે. અહીં એક મહિલાનું પહેલા મિની બસમાં અપહરણ કરવામાં આવ્યું અને પછી તેને દારૂ પીવડાવીને બસ ડ્રાઈવરે તેની સાથે રેપ કર્યો. બળાત્કારની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી બસ ડ્રાઈવર (Bus Driver) પીડિતાને આવી જ હાલતમાં છોડીને ભાગી ગયો હતો. પરિવારજનોએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ નોંધાવવાને બદલે તેઓનો ત્યાંથી પીછો કર્યો હતો. જેના કારણે પોલીસ કમિશનરે (police Commissioner) બે પોલીસકર્મીઓને બેદરકારીના કારણે સસ્પેન્ડ કર્યા હતા.


પોલીસે સીસીટીવીને આધારે આરોપીઓને ઓળખી લીધા

બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા બાદ આ મામલે ખળભળાટ મચી ગયો હતો. જે બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બસ ડ્રાઈવરની ઓળખ કરી અને તેને પકડી લીધો. પોલીસની જાણકારી અનુસાર રેપની ઘટના ગુરુવારે બની હતી. વાસ્તવમાં ઘટનાના દિવસે પીડિતા તેની સાસુ સાથે બજારમાંથી પરત ફરી રહી હતી. આ દરમિયાન એક બસ ડ્રાઈવરે મહિલાનું અપહરણ કર્યું હતું. આ દરમિયાન બસ ડ્રાઈવરે પહેલા પીડિતાને ધમકી આપીને દારૂ પીવડાવ્યો અને પછી તેની સાથે બળાત્કાર કર્યો. બળાત્કાર બાદ બસ ચાલક મહિલાને કફોડી હાલતમાં મૂકીને ભાગી ગયો હતો. આ ઘટના બાદ તેના ઘરે પહોંચેલી પીડિતાએ તેના પરિવારજનોને આપવીતી જણાવતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.


પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા!

બીજા દિવસે જ્યારે લોકોને ઘટનાની જાણ થઈ ત્યારે હોબાળો મચી ગયો હતો. રોષે ભરાયેલા લોકો બળાત્કારના આરોપીની ધરપકડની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા. આ દરમિયાન લોકોએ પોલીસ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ પ્રશાસનને લોકોને કાબૂમાં લેવા ભારે મહેનત કરવી પડી હતી. ભીડને કાબૂમાં લેવા માટે ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસ તૈનાત કરવામાં આવી હતી. જે બાદ એડિશનલ ડીસીપી રામ સિંહ શેખાવત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે પીડિતાને સારવાર માટે મોકલી આપી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ સાથે બેદરકારી દાખવનાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top