ડાયાબિટીસ દર્દીઓ કોરોનાના નવા વેરિયન્ટ સામે કેવી રીતે રક્ષણ મેળવી શકે છે?
વિશ્વભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના (Omicron) કેસ ઝડપથી વધી રહ્યા છે. જેથી નિષ્ણાતો લોકોને વહેલામાં વહેલી તકે કોરોનાની રસી લઇ લેવા માટે અપીલ કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે ડાયાબિટીસના દર્દીઓ નિયમિત કસરત કરીને અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર આહાર લઈને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકે છે. જે ચેપને રોકવામાં મદદ કરશે.
ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ ધરાવતા લોકોએ કોવિડ-19ના વધતા જતા કેસોમાં સાવધ રહેવાની અને તેમના સ્વાસ્થ્યને દરેક કિંમતે પ્રાથમિકતા પર રાખવાની જરૂર છે. આવી સ્થિતિમાં કોવિડ-19થી બચવા માટે ડાયાબિટીસના દર્દીઓ માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું પાલન કરવું જરૂરી છે.
નિષ્ણાતોના મતે, કોવિડ 19 રસી ટી-સેલ (T-cell) રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તેમજ સમયસર પૌષ્ટિક વસ્તુઓ ખાવાથી પણ કુદરતી રોગપ્રતિકારક શક્તિ વધારો થાય છે.
ડાયાબિટીસના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે, તેથી જરૂરી છે કે તેઓ ખોરાક અને જીવનશૈલી સાથે સંબંધિત આદતો પર ધ્યાન આપે અને સુગર લેવલને હંમેશા નિયંત્રણમાં રાખે. આ માટે ડૉક્ટરની સલાહ પર ઇન્સ્યુલિન લેવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ પોતાનું વજન નિયંત્રણમાં રાખવું અને નિયમિત કસરત કરવી જરૂરી છે.જેમને સ્થૂળતાની સમસ્યા હોય અને તેમને કોવિડ થાય તો તે ગંભીર સ્વરૂપ લઇ શકે છે. વધારે વજન કોવિડ થવાનું જોખમ વધારે છે. સ્થૂળતા સાથે ડાયાબિટીસની સમસ્યા ખતરનાક બની શકે છે.
સંતુલિત આહાર કોઈપણ પ્રકારના ચેપ અને રોગોથી બચાવે છે. એન્ટીઑકિસડન્ટથી ભરપૂર વસ્તુઓ ખાવાથી અને આહારમાં બદામ, ફળો અને સલાડનો સમાવેશ કરવાથી વાયરસથી બચી શકાય છે. એન્ટીઑકિસડન્ટ DNAને કોઈપણ નવા પ્રકારના નુકસાનથી સુરક્ષિત કરે છે. અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવામાં મદદરૂપ થાય છે.ડાયાબિટીસના દર્દીએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. જો તેઓ ઇન્હેલર, ઇન્સ્યુલિન અથવા તેને લગતી કોઈપણ સારવાર લેતા હોય તો તેને સમયસર લેવી જોઈએ અને ડૉક્ટરોની સલાહ અનુસાર તેનું પાલન કરવું જોઈએ.
(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જરૂરી છે.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp