કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના 2 ભાણેજો વચ્ચે ખૂની ખેલ, એકનું મોત, એક ઇજાગ્રસ્ત; જાણો શું છે

કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના 2 ભાણેજો વચ્ચે ખૂની ખેલ, એકનું મોત, એક ઇજાગ્રસ્ત; જાણો શું છે મામલો

03/20/2025 National

SidhiKhabar

SidhiKhabar

કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના 2 ભાણેજો વચ્ચે ખૂની ખેલ, એકનું મોત, એક ઇજાગ્રસ્ત; જાણો શું છે

Nityanand Rai: કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના ભાણેજનું ગુરુવારે (20 માર્ચ, 2025) સવારે ગોળી વાગવાથી મોત થઇ ગયું. આ ઘટના બિહારના ભાગલપુરમાં બની હતી. નવગછિયાના પરબત્તા પોલીસ સ્ટેશન હેઠળ આવતા જગતપુરમાં ભાઇ-ભાઇઓ વચ્ચે ઝઘડો થઇ ગયો, ત્યારબાદ મામલો લોહિયાળ બની ગયો હતો. આ બંને ભાઈઓ કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના ભાણેજ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિશ્વજીત યાદવ અને જયજીત યાદવ વચ્ચે પાણીને લઈને વિવાદ થયો હતો અને આ વિવાદને કારણે ભાઇ-ભાઈ વચ્ચે ગોળી ચાલી. આ ઘટનામાં વિશ્વજીતનું મોત થઇ ગયું હતું, જ્યારે જયજીત ગોળી લાગવાથી ઇજાગ્રસ્ત થયો હતો.

આ ઘટનામાં નિત્યાનંદ રાયની પિતરાઈ બહેન પણ ગોળીથી ઇજાગ્રસ્ત થઈ હતી. ચિના દેવીને દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરતી વખતે ગોળી વાગી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે. CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

ગોળીબારની માહિતી મળતા જ પરબત્તા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ IG વિવેક કુમારે નવગછિયાના SPને પરિસ્થિતિનો તાગ મેળવવા નિર્દેશ આપ્યો. આ સમગ્ર મામલામાં FSL ટીમ પણ કામે લાગી ગઇ છે.


મૃતક વિશ્વજીતની પત્નીએ શું કહ્યું?

મૃતક વિશ્વજીતની પત્નીએ શું કહ્યું?

મૃતક વિશ્વજીત યાદવની પત્ની મનીષાએ જણાવ્યું કે, જમીન વિવાદનો મામલો વર્ષોથી ચાલી રહ્યો છે. આજે આ નાના વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે. જમીનનો આ વિવાદ રાત્રે પણ થયો હતો. તેણે રડતા-રડતા કહ્યું કે મારા 2 બાળકો છે. હવે હું તેને કેવી રીતે રાખીશ?

બંને ભાઇઓમાં મોતને ભેંટનાર વિશ્વજીત મોટો હતો. બંને ભાઈઓની ઉંમર લગભગ 34-35 વર્ષની હશે. આ ઘટના બાદ હોબાળો મચી ગયો છે. ઇજાગ્રસ્ત માતા અને પુત્રને વધુ સારી સારવાર માટે પટના રીફર કરવામાં આવ્યા છે.


SP પ્રેરણા કુમારે શું કહ્યું?

SP પ્રેરણા કુમારે શું કહ્યું?

 નવગછિયાના SP પ્રેરણા કુમારે જણાવ્યું કે, સવારે અમને માહિતી મળી કે જગતપુરમાં 2 ભાઈઓએ એકબીજા પર ગોળી ચલાવી દીધી છે. પરબત્તાના SHO ઘટનાસ્થળે પહોંચ્યા. જેમને ગોળી વાગી હતી તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. માહિતી મળતા જ SDPO પણ હૉસ્પિટલ પહોંચી ગયા. SHO પણ હૉસ્પિટલમાં હતા. એક વ્યક્તિનું મોત થઇ ગયું છે.

તેમણે જણાવ્યું કે ઝઘડા દરમિયાન, બંને ભાઈઓની માતાએ દરમિયાનગીરી કરી તો તેમને પણ હાથમાં ગોળી લાગવાની સુચના મળી. તેમની પણ સારવાર ચાલી રહી છે. મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. હવે એ વાત સામે આવી રહી છે કે નળને લઈને વિવાદ વધ્યો હતો. ત્યારબાદ વાત એટલી બધી એટલો વધી ગઇ કે બંને ભાઈઓએ એકબીજાને ગોળી મારી દીધી. અમને સવારે 8 વાગ્યાની આસપાસ ઘટનાની સૂચના મળી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top