Operation Sindoor: નાયબ વડાપ્રધાન ઇશાક ડારનું મોટું કબૂલનામું- ‘નૂર ખાન અને શોર કોટ એરબેઝ પર હુમલા બાદ સીઝફાયર માટે તૈયાર થયું પાકિસ્તાન; જુઓ વીડિયો
Ishaq Dar on Operation Sindoor: પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે કે ભારતે તેમના એરબેઝને તબાહ કરી દીધા હતા. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે ભારતીય સેનાએ હુમલો શરૂ કર્યો, ત્યારે આગામી 45 મિનિટની અંદર સાઉદી પ્રિન્સ ફૈઝલ બિન સલમાને તેમની સાથે વાત કરી અને પૂછ્યું કે ભાઈ શું તેઓ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરીને હુમલો રોકવા માટે અપીલ કરે અને તેમને જાણકરી આપે પાકિસ્તાન રોકાવા માટે તૈયાર છે. ફૈઝલ બિન સલમાને એમ પણ કહ્યું કે મને ખબર પડી કે તમે અમેરિકના રક્ષા મંત્રી માર્કો રુબિયો સાથે વાત કરી છે. તેના પર મેં (ઇશાક ડારે) કહ્યું કે, કેમ નહીં! ત્યારબાદ સીઝફાયર થયું. અને તેમણે મને પાછો ફોન પણ કર્યો, બિન સલમાને મને 20-25 વાર ફોન કર્યો અને જણાવ્યુ તેમની વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત થઈ ગઈ છે. તો વાત એ છે કે તેમણે ભૂમિકા ભજવી છે અન ક્રેડિટ લે છે 13 વખત લે કે 130 વખત, આપણે તેમનું વેલકમ કરવું જોઈએ.
Geo ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં ઇશાક ડારના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની સ્થિતિ કેવી ખરાબ થઈ ગઈ હતી. એક મુસ્લિમ દેશ તેમને મદદ કરવા માટે અમેરિકાથી પહેલા આગળ આવ્યો અને પરિસ્થિતિને સામાન્ય બનાવવાની ઓફર કરી. આ ઉપરાંત, ઇશાક ડારે એમ પણ કહ્યું કે તેમની સરકારે ભારત દ્વારા કરવામાં આવી રહેલા હુમલાને રોકવા માટે અમેરિકાને પણ અપીલ કરી હતી.
ઓપરેશન સિંદૂર બાદ, ભારતે પાકિસ્તાની હુમલાના જવાબમાં તેમના ઘણા એરબેઝને તબાહ કરી દીધા હતા, જેમાં રાવલપિંડી એરપોર્ટ સહિત ઘણા વિસ્તારોને નિશાન બનાવીને બ્રહ્મોસ મિસાઇલો છોડવામાં આવી હતી. આ વાતનો ખુલાસો ખુદ ઇશાક ડારે કર્યો છે.
Pakistan Deputy PM Ishaq Dar' openly admits 2 things in this interview 📍India struck the Nir Khan Air base and Shorkot Air base 📍 Ishaq Dar' says Saudi Prince Faisal called him asking "Am I authorised to talk to Jaishankar also and CONVEY ..and you are READY TO TALK"… pic.twitter.com/45TJqnlWKu — OsintTV 📺 (@OsintTV) June 19, 2025
Pakistan Deputy PM Ishaq Dar' openly admits 2 things in this interview 📍India struck the Nir Khan Air base and Shorkot Air base 📍 Ishaq Dar' says Saudi Prince Faisal called him asking "Am I authorised to talk to Jaishankar also and CONVEY ..and you are READY TO TALK"… pic.twitter.com/45TJqnlWKu
ઈશાક ડારે કહ્યું કે અમે વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે વાત કરી હતી. તેમણે દળોને તૈયાર રહેવા કહ્યું હતું. આપણે શું કરવું તે અંગે બધું નક્કી કરી દેવામાં આવ્યું હતું. અમે સવારે 4:00 વાગ્યા બાદ ભારત પર મોટો હુમલો કરવાના હતા, પરંતુ તે અગાઉ ભારતે 2:30 વાગ્યે ફરીથી કાર્યવાહી કરી અને નૂર ખાન, શોરકોટ એરબેઝ સહિત ઘણી જગ્યાએ હુમલો કર્યો. ડારે કહ્યું, હું તેને દુર્ભાગ્ય કહીશ કે તેમણે ફરીથી હુમલો કર્યો.
ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન 7 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં સ્થિત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. હુમલામાં 100 આતંકવાદીઓ માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ હતી. આ હુમલાના જવાબમાં, પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને સરહદ પારથી હુમલો શરૂ કર્યો. ત્યારબાદ, ભારતીય સેનાએ હુમલો વધુ તીવ્ર બનાવ્યો અને પાકિસ્તાનના ઘણા એરબેઝને નિશાન બનાવ્યા, જેમાં પાડોશી દેશને ખૂબ નુકસાન થયું. તેનો પુરાવો સેટેલાઇટ ઈમેજો દ્વારા પણ આપવામાં આવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp