સરદાર પટેલની 150મી જયંતિના અવસરે કોંગ્રેસ પર વરસ્યા PM મોદી, બોલ્યા- ‘કોંગ્રેસને કારણે...’

સરદાર પટેલની 150મી જયંતિના અવસરે કોંગ્રેસ પર વરસ્યા PM મોદી, બોલ્યા- ‘કોંગ્રેસને કારણે...’

10/31/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

સરદાર પટેલની 150મી જયંતિના અવસરે કોંગ્રેસ પર વરસ્યા PM મોદી, બોલ્યા- ‘કોંગ્રેસને કારણે...’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસના અવસર પર કોંગ્રેસ પાર્ટી પર ખૂબ વરસ્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસની ભૂલને કારણે જમ્મુ- કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાન પાસે જતો રહ્યો. સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતા તેમણે કહ્યું કે તેઓ માનતા હતા કે ઇતિહાસ લખવામાં સમય બગાડવો ન જોઈએ; તેના બદલે, આપણે ઇતિહાસ બનાવવા માટે સખત મહેનત કરવી જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘કાશ્મીર કલમ370ની સાંકળ તોડીને મુખ્ય પ્રવાહમાં જોડાઈ ગયું છે. આખી દુનિયાએ ઓપરેશન સિંદૂરમાં જોયું છે કે જો કોઈ આજે ભારત પર આંખ ઉંચી કરવાની હિંમત કરશે, તો ભારત ઘૂસીને મારશે. ભારતનો જવાબ હંમેશાં મજબૂત અને વધુ નિર્ણાયક હોય છે. આ ભારતના દુશ્મનો માટે સંદેશ છે.'


વડાપ્રધાન મોદીએ કાશ્મીર અંગે શું કહ્યું?

વડાપ્રધાન મોદીએ કાશ્મીર અંગે શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘સરદાર સાહેબે દેશની સાર્વભૌમત્વને બીજા બધા કરતા ઉપર રાખ્યું હતું, પરંતુ કમનસીબે, સરદાર સાહેબના નિધન પછીના વર્ષોમાં, તત્કાલીન સરકારોએ દેશની સાર્વભૌમત્વને એટલી ગંભીરતા ન લીધી. એક તરફ કાશ્મીરમાં થયેલી ભૂલો, બીજી તરફ પૂર્વોત્તરમાં ઉભી થયેલી સમસ્યાઓ અને દેશભરમાં નક્સલવાદી અને માઓવાદી આતંકવાદ, આ દેશના સાર્વભૌમત્વ માટે સીધા પડકારો હતા. પરંતુ સરદાર સાહેબની નીતિઓનું પાલન કરવાને બદલે, તે સમયની સરકારોએ કરોડરજ્જુ વગરનો અભિગમ અપનાવ્યો. દેશે હિંસા અને રક્તપાતના સ્વરૂપમાં તેના પરિણામો ભોગવ્યા.

તેમણે કહ્યું કે, ‘સરદાર સાહેબ ઇચ્છતા હતા કે કાશ્મીર પણ એ જ રીતે એકીકૃત થાય જેમ તેમણે અન્ય રજવાડાઓનું એકીકરણ કર્યું હતું. જોકે, નેહરુજીએ તેમની ઇચ્છા પૂર્ણ થવા ન દીધી. કાશ્મીરને એક અલગ બંધારણ અને અલગ ધ્વજ સાથે વિભાજિત કરવામાં આવ્યું હતું. દાયકાઓથી કાશ્મીર પર કોંગ્રેસની ભૂલની આગમાં દેશ સળગતો રહ્યો.’


PMએ ઘુસણખોરોને આંતરિક સુરક્ષા માટે ખતરો ગણાવ્યા

PMએ ઘુસણખોરોને આંતરિક સુરક્ષા માટે ખતરો ગણાવ્યા

વડાપ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ‘આજે, ઘુસણખોરો દેશની એકતા અને આંતરિક સુરક્ષા માટે ખૂબ મોટું જોખમ છે. વિદેશી ઘુસણખોરો દાયકાઓથી દેશમાં પ્રવેશ કરી રહ્યા છે, સંસાધનો પર કબજો કરી રહ્યા છે, વસ્તી વિષયક સંતુલનને ખલેલ પહોંચાડી રહ્યા છે અને રાષ્ટ્રની એકતાને દાવ પર લગાવતા રહ્યા, પરંતુ અગાઉની સરકારોએ આ વિશાળ સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કર્યા. વોટ બેંકની રાજનીતિ માટે રાષ્ટ્રીય સુરક્ષાને જાણી જોઈને જોખમમાં મૂકવામાં આવી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top