NASA અવકાશયાત્રીની પિતરાઈ બહેને જણાવ્યું- 9 મહિના અવકાશમાં રહીને આવ્યા બાદ સુનિતા વિલિયમ્સ ભારત

NASA અવકાશયાત્રીની પિતરાઈ બહેને જણાવ્યું- 9 મહિના અવકાશમાં રહીને આવ્યા બાદ સુનિતા વિલિયમ્સ ભારત આવશે કે નહીં

03/19/2025 National

SidhiKhabar

SidhiKhabar

NASA અવકાશયાત્રીની પિતરાઈ બહેને જણાવ્યું- 9 મહિના અવકાશમાં રહીને આવ્યા બાદ સુનિતા વિલિયમ્સ ભારત

9 મહિનાથી વધુ સમયની લાંબી રાહ જોયા બાદ, ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફર્યા છે. બૂચ વિલ્મોર અને અન્ય 2 સાથીઓ પણ તેમની સાથે આવ્યા છે. આ 4 અવકાશયાત્રીઓ સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યૂલમાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી ઉડાન ભર્યાના 17 કલાક બાદ, ડ્રેગન કેપ્સ્યૂલ ભારતીય સમય મુજબ સવારે 3.27 વાગ્યે અમેરિકાના ફ્લોરિડા કિનારા નજીક સમુદ્રમાં પેરાશૂટની મદદથી નીચે ઉતર્યું. ભારતીય મૂળના NASAના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની પિતરાઈ બહેને કહ્યું કે તેઓ ખુશ છે કે, 9 મહિના અવકાશમાં રહ્યા બાદ તેઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે.


સુનિતા ભારત ક્યારે આવશે?

સુનિતા ભારત ક્યારે આવશે?

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ફાલ્ગૂની પંડ્યાએ કહ્યું કે, સુનિતા ઘરે પરત ફર્યા તે ક્ષણ એક સપના જેવી હતી. બધું બરાબર કરવા બદલ ભગવાનનો આભાર માન્યો. સુનિતા વિલિયમ્સ પણ ટૂંક સમયમાં ભારત આવશે. અમે સાથે રજાઓ ગાળવાનું પણ આયોજન કરી રહ્યા છીએ. ત્યાં પરિવાર સાથે ઘણો સમય વિતાવશે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું સુનિતા વિલિયમ્સ ફરીથી અવકાશમાં જશે કે મંગળ પર ઉતરનાર પ્રથમ વ્યક્તિ બનશે, ત્યારે ફાલ્ગુની પંડ્યાએ કહ્યું કે, તે સ્પષ્ટપણે તેમની વ્યક્તિગત પસંદગી હશે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર સુનિતા વિલિયમ્સના લાંબા રોકાણ અંગે બોલતા ફાલ્ગુની પંડ્યાએ કહ્યું કે 59 વર્ષીય અવકાશયાત્રી દરેક પરિસ્થિતિનો શ્રેષ્ઠ ઉપયોગ કરે છે. ચોક્કસ તે આપણા બધા માટે એક રોલ મોડેલ છે.


વડાપ્રધાન મોદીએ સુનિતાને લખ્યો પત્ર

વડાપ્રધાન મોદીએ સુનિતાને લખ્યો પત્ર

વડાપ્રધાન મોદીએ સુનિતા વિલિયમ્સને પત્ર પણ લખ્યો છે અને કહ્યું છે કે તેઓ ભારતમાં તેમને મળવા માટે આતુર છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ દ્વારા ગઈકાલે ટ્વીટર પર શેર કરાયેલા 1 માર્ચના પત્રમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જ્યારે તેઓ ટ્રમ્પ અને તેમના જો બાઇડેનને અમેરિકાની મુલાકાત દરમિયાન મળ્યા ત્યારે તેમણે સુનિતા વિલિયમ્સના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બૂચ વિલ્મોર 17 કલાકની મુસાફરી માટે ISS થી ઘરે પાછા ફર્યાના છોડા કલાકો પછી આ પત્ર જાહેર કરવામાં આવ્યો.

વડાપ્રધાન મોદીએ યાદ કર્યું કે આ મહિને દિલ્હીમાં NASAના ભૂતપૂર્વ અવકાશયાત્રી માઇક મેસિમિનો સાથેની વાતચીતમાં તેમનું નામ આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે ચર્ચા કરી કે તમે અને તમારા કાર્ય પર કેટલો ગર્વ છે. આ વાતચીત બાદ, હું તમને પત્ર લખતા પોતાની જાતને રોકી શક્યો નહીં. 1.4 અબજ ભારતીયોને હંમેશાં તમારી સિદ્ધિઓ પર ગર્વ રહ્યો છે. તાજેતરના વિકાસથી ફરી એકવાર તમારી પ્રેરણાદાયી દૃઢતા અને ખંતનું પ્રદર્શન કર્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top