ટ્રમ્પની પોલીસે ભારતીય એન્જિનિયરને મારી દીધી ગોળી, એવું શું થયું જે ગુમાવવો પડ્યો જીવ; જાણો શું છે આખો મામલો
અમેરિકાના કેલિફોર્નિયામાં પોલીસે એક ભારતીય એન્જિનિયરને ગોળી મારી હતી. મોહમ્મદ નિઝામુદ્દીન તરીકે ઓળખાતા આ વ્યક્તિનો તેના રૂમમેટ સાથે વિવાદ થયો હોવાનું કહેવાય છે. તેલંગાણાના નિઝામુદ્દીનના પરિવારે તેના મૃતદેહને પાછો મેળવવા માટે વિદેશ મંત્રાલયને મદદ માટે અપીલ કરી છે. ગોળી મારવામાં આવે તે પહેલાં, નિઝામુદ્દીન સાર્વજનિક રૂપે વંશીય ઉત્પીડન અને નોકરીની મુશ્કેલીઓ અંગે ફરિયાદ કરી હતી.
મોહમ્મદ નિઝામુદ્દીન ફ્લોરિડાથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તે કેલિફોર્નિયાની એક કંપનીમાં કામ કરતો હતો, પરંતુ ત્યારબાદ તેને કાઢી મૂકવામાં આવ્યો હતો. લિંક્ડઇન પોસ્ટમાં, નિઝામુદ્દીને આરોપ લગાવ્યો હતો કે તેને ખોટી રીતે બરતરફ કરવામાં આવ્યો હતો અને તેના પગારમાં છેતરપિંડી કરવામાં આવી હતી. વધુમાં નિઝામુદ્દીને વંશીય ઉત્પીડનને લઈને પણ પોસ્ટ શેર કરી હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (TOI)ના અહેવાલ મુજબ, નિઝામુદ્દીનને ચાર ગોળી મારવામાં આવી હતી. સાંતા ક્લેરા પોલીસના નિવેદન મુજબ, છરાબાજી અંગે 911 પર ફોન આવ્યો હતો. માહિતી મળતા જ, પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે જણાવ્યું કે જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે એક વ્યક્તિ છરી લઈને ઊભો હતો. જ્યારે તેણે વાત ન માની તો તેને ગોળી મારી દેવામાં આવી. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તે વ્યક્તિનો રૂમમેટ નીચે પડેલો હતો અને ઘણી જગ્યાએ ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટના 3 સપ્ટેમ્બરના રોજ બની હતી.
મજલિસ બચાવો તહરીકના પ્રવક્તા અમજદ ઉલ્લાહ ખાને નિઝામુદ્દીનના પરિવાર સાથે મુલાકાત કરી. તેમણે તેના પિતા મોહમ્મદ હસનુદ્દીન અને અન્ય સંબંધીઓ સાથે વાત કરી હતી. અમજદે વિદેશ મંત્રાલયને પત્ર લખીને મદદ માગી છે. તેઓ મૃતદેહને ભારત પરત લાવવા માગે છે. તેમણે પત્રમાં એમ પણ લખ્યું છે કે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp