ભગવાન જગન્નાથની રથયાત્રામાં મચી ભાગદોડ, 3 લોકોના મોત; 40 થી વધુ ઇજાગ્રસ્ત 6 ગંભીર
Jagannath Rath Yatra Stampede: ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન એક દુ:ખદ અકસ્માત થયો છે. રવિવારે સવારે લગભગ 4:30 વાગ્યે, જ્યારે ભક્તો ભગવાનના દર્શન કરવા માટે શ્રી ગુંડીચા મંદિરની સામે મોટી સંખ્યામાં એકઠા થયા હતા, ત્યારે ભારે ધક્કામુક્કી થઈ હતી. ત્યારબાદ નાસભાગ મચી ગઈ. રવિવારે પુરીમાં શ્રી ગુંડીચા મંદિર નજીક થયેલી ભાગદોડમાં 3 લોકોનાં મોત થઈ ગયા અને લગભગ 50 લોકો ઇજાગ્રસ્ત થયા.
ઘટના અંગે વધુ માહિતી આપતાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે 4:00 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે સેંકડો ભક્તો મંદિર નજીક એકઠા થયા હતા. પુરી જિલ્લા કલેક્ટર સિદ્ધાર્થ એસ સ્વૈને જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 6 લોકોની હાલત ગંભીર છે. જિલ્લા કલેક્ટર સિદ્ધાર્થે જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ બોલાગઢના બસંતી સાહુ, બાલીપટનાના પ્રેમકાંત મોહંતી અને પ્રાવતી દાસ તરીકે થઈ છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.
આ ઘટના શ્રી ગુંડિચા મંદિરની સામે શારદાબલી પાસે બની હતી. તે સમયે બિરાજમાન જોવા માટે રથ પર બિરાજમાન ભગવાન જગન્નાથને જોવા માટે ભારે ભીડ એકઠી થઈ હતી. દર્શન દરમિયાન ભીડને કાબૂમાં રાખવી મુશ્કેલ બની ગઈ અને લોકોમાં ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. કેટલાક લોકો જમીન પર પડી ગયા અને નાસભાગ મચી ગઈ.
ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડૉક્ટરોની ટીમ સતત તેમની સારવાર કરી રહી છે. કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પુરીની જગન્નાથ રથયાત્રા દેશના સૌથી મોટા ધાર્મિક યાત્રાઓમાંથી એક છે. દર વર્ષે લાખો ભક્તો ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરવા માટે પુરી પહોંચે છે. રથયાત્રા દરમિયાન, ભગવાનને શ્રીમંદિરમાંથી બહાર લાવીને શ્રી ગુંડિચા મંદિરમાં લઈ જવામાં આવે છે. જ્યાં તેઓ થોડા દિવસો માટે આરામ કરે છે. આ યાત્રા દરમિયાન આ અકસ્માત થયો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp