રાજ્યસભામાં કોંગ્રેસની બેંચ પરથી મળી નોટોની થોકડી, સભાપતિએ જણાવ્યું કોની બેંચ પરથી મળી
cash recovered from Abhishek Manu Singhvis seat: રાજ્યસભામાં કોંગ્રેસની બેંચ પર નોટોની થોકડી મળવાથી સદનમાં જોરદાર હોબાળો થઇ રહ્યો છે. સદનમાં સભાપતિએ પોતે આ વાત કહી છે. તેમણે કહ્યું કે, આ ગંભીર મામલો છે અને તેની તપાસ થઇ રહી છે. વાસ્તવમાં શુક્રવારે સભાપતિ જગદીપ ધનખડે જાણકારી આપી કે, ગુરુવારે સદનની કાર્યવાહી સ્થગિત થયા બાદ સુરક્ષા અધિકારીઓએ અમને જાણકારી આપી કે, 'સીટ નંબર 222 પરથી કેશ મળ્યા છે. આ સીટ તેલંગાણાના સાંસદ અભિષેક મનુ સિંધવીને અલોટ કરવામાં આવી છે. આ મામલે નિયમો અનુસાર તપાસ થવી જોઈએ અને તે થઇ પણ રહી છે.'
રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડે જેવી જ નોટ મળવાની વાત કહી, વિપક્ષી સાંસદોએ હોબાળો શરૂ કરી દીધો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ કહ્યું કે, 'જ્યાં સુધી ઘટનાની તપાસ ચાલી રહી છે અને બધું સ્પષ્ટ ન થઇ જાય ત્યાં સુધી તમારે (સભાપતિ) તેમનું નામ બોલવાનું નહોતું. ખરગેના નિવેદન પર સત્તા પક્ષના સાંસદોએ હોબાળો કર્યો.
તેના પર ખરગેએ કહ્યું કે, એવું ચિલ્લર કામ કરીને જ દેશને બદનામ કરવામાં આવી રહ્યો છે. તમે કોઈ ખાસનું નામ અને સીટ બાબતે કેવી રીતે કહી શકો છો? ખરગેના આરોપો પર સભાપતિએ કહ્યું કે, તેમણે એ બતાવ્યું છે કે કઈ સીટ પર મળી છે અને તે કોને અલોટ કરવામાં આવી છે.
ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું કે, 'ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને ગંભીર મુદ્દો છે. આ સદનની ગરીમા પર હુમલો છે. મને વિશ્વાસ છે કે યોગ્ય તપાસ થશે. મને આશા હતી કે આપણાં વિપક્ષના નેતા પણ વિસ્તૃત તપાસની માગ કરશે. વિપક્ષે હંમેશાં સદબુદ્ધિ રાખવી જોઈએ. સ્વસ્થ મન અને ભાવના સાથે વિવરણ સામે આવવું જોઈએ. બંને પક્ષોએ તેની નિંદા કરવી જોઈએ.
Heard of it first time now. Never heard of it till now! I carry one 500 rs note when I go to RS. First time heard of it. I reached inside house at 1257 pm yday and house rose at 1 pm; then I sat in canteen till 130 pm with Sh Ayodhya Rami Reddy then I left parl! — Abhishek Singhvi (@DrAMSinghvi) December 6, 2024
Heard of it first time now. Never heard of it till now! I carry one 500 rs note when I go to RS. First time heard of it. I reached inside house at 1257 pm yday and house rose at 1 pm; then I sat in canteen till 130 pm with Sh Ayodhya Rami Reddy then I left parl!
આ મામલે અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, પહેલી વખત એવું સંભાળવામાં આવ્યું છે! હું જ્યારે પણ રાજ્યસભા જાઉં છું તો એક 500 રૂપિયાની નોટ સાથે લઈને જાઉં છું. હું કાલે બપોરે 12:57 વાગ્યે ઘરની અંદર પહોચ્યો અને ૧:૦૦ વાગ્યે સદન ચાલુ થયું. પછી હું 1:30 વાગ્યા સુધી કેન્ટિનમાં અયોધ્યાના સાંસદ રામી રેડ્ડી સાથે બેઠો અને પછી સદનમાં જતો રહ્યો!
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp